રાહુલ ગાંધી પાસે ૧૫ કરોડની સંપત્તિ : હેવાલમાં ધડાકો થયો

593

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની પાસે ૧૫ કરોડની સંપત્તિ રહેલી છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં રાહુલ ગાંધીએ એક કરોડની કમાણી કરી છે. રાહુલ ગાંધીની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં ૬૮.૯૩ ટકા સુધી વધી ગઇ છે. હવે તેમની પાસે ૧૫.૮૮ કરોડની સંપત્તિ થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ પોતે વાયનાડ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતી વેળા આ માહિતી આપી છે. રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભરતી વેળી એફિડેવિટમાં આ માહિતી આપી હતી. રાહુલની પાસે ૫.૮ કરોડની સ્થાવર અને ૯.૨ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણી યોજવામા ંઆવી ત્યારે રાહુલ ગાંધીએ તેમની સંપત્તિ ૯.૪૦ કરોડ રૂપિયા હોવાની વાત કરી હતી. વર્ષ ૨૦૦૪માં લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી ઘોષણા મુજબ રાહુલ ગાંધીની પાસે સંપત્તિ છેલ્લા ૧૫ વર્ષમાં ૨૭૪૫ કરોડ રૂપિયા વધી ગઇ છે. વર્ષ ૨૦૦૪માં ઉમેદવારી પત્ર દાખલ કરતી વેળા રાહુલ ગાંધીએ જે એફિડેવિટ દાખલ કરી હતી તેમાં રાહુલ ગાંધીની સંપત્તિ ૫૬ લાખની આસપાસ આંકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૯માં જ્યારે રાહુલ ગાંધીએ ઉમેદવારી દાખલ કરી ત્યારે તેમની સંપત્તિ વધીનવે બે કરોડ રૂપિયા થઇ ગઇ હતી. જે વર્ષ ૨૦૧૪માં વધીને નવ કરોડ ૪૦ લાખ રૂપિયા સુધી પહોંચી હતી. હવે આ સંપત્તિનો આંકડો ૧૫.૮૮ કરોડ સુધી પહોંચી ગયો છે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યુ છે કે રાહુલ ગાંઘીની સંપત્તિ ૨૦૦૪માં ૫૫ લાખ રૂપિયા હતી. જે અભૂતપૂર્વ રીતે વધીને વર્ષ ૨૦૧૪માં નવ કરોડ થઇ ગઇ હતી. રાહુલ ગાંધી પાસે આવકના કોઇ પ્રત્યક્ષ સોર્સ નથી. જેથી તેમની સંપત્તિ આટલી રેકોર્ડ ગતિથી કઇ રીતે વધી શકે છે. રાહુલ ગાંધી આ વિકાસના મોડલ અંગે માહિતી આપે તો વધારે લોકોને જાણ થશે. જો કે રાહુલ ગાંધીએ જે એફિડેવિટ કરી છે તે મુજબ તેમની પાસે કાર નથી. જ્યારે જુદી જુદી બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓની તેમના પર ૭૨ લાખ રૂપિયાનુ દેવુ છે.

રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીની પાસે પાંચ લાખ રૂપિયા પણ લીધેલા છે. રાહુલ ગાંધીની સંપત્તિની લઇને કેટલીક માહિતી સપાટી પર આવ્યા બાદ આની ચર્ચા પ્રચારમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધી આ વખતે બે લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જેમા ંતેમની ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક અને કેરળની વાયનાડ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.  કેરળની વાયનાડ સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા બાદ આને લઇને જોરદાર રાજકીય ગરમી વધી ગઇ છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. રાહુલની સંપત્તિના મામલે પણ ચર્ચા શરૂ થઇ છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે હાલ પાંચ કેસ રહેલ છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે કુલ પાંચ કેસો રહેલા છે. કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી પત્ર ભરતી વેળા તેની સાથે સુપ્રત કરવામાં આવેલી એફિડેવિટમાં રાહુલ ગાંધીએ આ મુજબની વાત કરી છે. એફિડેવિટના કહેવા મુજબ રાહુલ ગાંધીની સામે બે કેસો મહારાષ્ટ્રમાં રહેલા છે. જ્યારે ઝારખંડ, આસામ અને નવી દિલ્માં એક એક કેસ રહેલા છે. કોંગ્રેસ પ્રમુખની પાસે રોકડ સંપત્તિની વાત કરવામાં આવે તો આ રકમ ૪૦ હજાર રૂપિયાની છે. જુદી જુદી બેંકોમાં તેમના ૧૭.૯૩ લાખ રૂપિયા જમા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના  કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. રાહુલ ગાંધીની પાસે રહેલી સંપત્તિની વિગત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ૧૯૯૫માં કેમ્બ્રિજમાં ટ્રિનિજ કોલેજમાંથી એમફિલ કરી ચુક્યા છે.

રાહુલ ગાંધી વાયનાડ સીટ પર પર મેદાનમાં ઉતર્યા બાદ આને લઇને વિગતો જાહેર કરવામાં આવી રહી છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમની ત્રણ-ત્રણ વિધાનસભા સીટો અને કોઝીકોડેની એક વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ લીગ એક મોટી તાકાત તરીકે છે. ગાંધી પરિવાર દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડવાનો ઇતિહાસ ધરાવે છે.

૧૯૭૮માં ઇન્દિરા ગાંધીએ કર્ણાટકના ચીખમંગલુર પેટાચૂંટણીમાં જીત હાંસલ કરીને વાપસીનો સંકેત આપ્યો હતો. જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં કોંગ્રેસને ફરીવખત સત્તામાં લાવવામાં સફળ થયા હતા ત્યારે આંધ્રપ્રદેશના મેઢક અને ઉત્તરપ્રદેશમાં રાયબરેલીની સીટો જીતી લીધી હતી.

Previous articleવિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા, એમેઝોનના બેઝોસે પત્નીને આપ્યા ૨.૫ લાખ કરોડ
Next articleનોકરી માટે ઇચ્છુક કુલ ૬૪ ટકાને નોકરી મળી : રિપોર્ટ