‘૧૫ વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે : સુશીલ કુમાર

468

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી મોદીનુ નામ લઈને ચોકીદાર ચોર હોવાના નારાં લગાવે છે. જેથી આ મામલે તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. સુશીલ મોદીએ કહ્યુ કે બિહારમાં ૧૫ વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

હારના કારણે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહી છે. જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીત્યુ ત્યારે કોંગ્રેસે ઈવીએમ પર કોઈપણ પ્રકારનો સવાલ ઉઠાવ્યો નહોતો. અને હવે કોંગ્રેસને ઈવીએમમાં ગડબડી લાગે છે. તેમણે કહ્યુ કે વિપક્ષને સુપ્રીમ કોર્ટ ઉપર પણ વિશ્વાસ નથી જેથી તેઓ ઈવીએમ પર ફરીવાર સવાલ ઉઠાવી રહ્યા છે.

હકીકતમાં રાફેલ મામલા પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ અનેક વાર તેઓ એવું કહી ચૂક્યાં છે કે નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી, યે સારે મોદી ચોર હૈ. આ પહેલાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ ’ચોકીદાર ચોર હૈ’ કમેન્ટ પર સુપ્રીમ કોર્ટ જવાબ માંગી ચૂકેલ છે.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ નિવેદનથી રાહુલ ગાંધીની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે.

Previous articleશેરબજારમાં તીવ્ર તેજી : સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ થયો
Next articleમંદિર દર્શન અને રોડ શોની વચ્ચે રાજનાથે નામાંકન કર્યું