બાબરા સ્વામી નારાયણ મંદિરમાં ૨૩ મો પાટોત્સવ – કથામૃત યોજાયા

619

બાબરા ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ મંદિર ખાતે ૨૩ મો પાટોત્સવ ભાવિક હરી ભક્તો સંતો ની ઉપસ્થિતિ માં ભારે ધાર્મિક વાતાવરણ માં ઉજવવા માં આવ્યો હતો

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી બાબરા સ્વામી નારાયણ મંદિર ના પાટોત્સવ નીમીતે મંદિર ખાતે સમૂહ પૂજા અન્નકૂટ દર્શન તેમજ  અહી ના કારેટીયા નગર ની વાડી ખાતે સાંજે ૫.૩૦ કલાકે દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત ગઢડા સ્વામી નારાયણ મંદિર ના  પૂજ્ય સંતો દ્વારા કથામૃત પાન કરાવવા માં આવતા હાજરી આપેલા  ૨૦૦૦ જેટલા હરીભક્ત ની  જનમેદની ભાવવિભોર બની જય સ્વામીનારાયણ ના જય ઘોષ સાથે ધાર્મિક રંગે રંગાઈ હતી સાધુ સંતો ની નીશ્રા માં સાંજે હરી ભક્તો સમૂહપ્રસાદ ગ્રહણ કરી તૃપ્ત થયા હોવાનું હરી ભક્ત નરેન્દ્રભાઈ રાવળ જણાવ્યું હતું.

Previous articleરાજુલાના જયભવાની ગૃપનાં મિત્રોએ શહિદ પરિવારોનાં બેંક ખાતામાં નાણા જમા કરાવ્યાં
Next articleજાફરાબાદનાં બલાણા ગામે આંબેડકર જયંતિની ઉજવણી