મહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વિજયસિંહને અપાશે : પ્રજ્ઞા

624

મધ્યપ્રદેશના ભોપાલ સંસદીય સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદ સાથે જોડીને એક મહિલાને અપમાનિત કરી હતી. તેમના પર અત્યાચાર કર્યો હતો. તેઓ આ મુદ્દાને લઇને પ્રજા વચ્ચે જનાર છે. સાથે સાથે અત્યાચારના પુરાવા પણ રજૂ કરશે. સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુ લોકોને આતંકવાદ સાથે જોડ્યા છે. હિન્દુઓને આતંકવાદ ગણાવ્યા છે. દિગ્વિજયસિંહ પુરાવા માંગી રહ્યા છે જેથી તેમને પુરાવા આપવામાં આવશે. માલેગાંવ બોંબ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે, એક મહિલાને કઈ રીતે અપમાનિત કરવામાં આવી હતી. કાયદા સાથે કઇરીતે રમત રમવામાં આવી હતી.

હવે તેઓ પ્રજાની વચ્ચે જશે. સાધ્વીએ પોતાની સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમની સાથે જેવું વર્તન કરવામાં આવ્યું છે તેવું વર્તન ગુલામીના સમયમાં પણ કોઇની સાથે કરવામાં આવ્યું ન હતું. આવનાર દિવસોમાં કોઇ મહિલાની સાથે આવું કરવામાં આવશે નહીં. તેના ઉપર વિશ્વાસ બેસી શકે નહીં. દિગ્વિજય પોતે પુરાવા માંગી રહ્યા છે જેથી તેમને પુરાવા આપવામાં આવશે. પ્રમાણ વગર તેઓ કોઇ વાત કરતા નથી. કોંગ્રેસે હજુ સુધી જે ગેરકાયદે કામો અને ષડયંત્રો રચ્યા છે તેના પુરાવા આપવામાં આવશે. ભાજપે ભોપાલ સંસદીય બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયની સામે સાધ્વી પ્રજ્ઞાને ઉતારી છે જેથી આ સ્પર્ધા વધારે તીવ્ર બની ગઈ છે.  સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ ૧૬ વર્ષ બાદ ચૂંટણી લડી રહ્યા છે. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી સતત ૧૦ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા દિગ્વિજયસિંહ ૨૦૦૩ બાદ હજુ સુધી કોઇપણ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. ૨૦૦૮માં સાધ્વી પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવ વર્ષ સુધી સાધ્વી જેલમાં રહ્યા હતા. હાલમાં જામીન ઉપર છે. જામીન ઉપર બહાર આવ્યા બાદ તેમનું કહેવું છે કે, સતત ૨૩ દિવસ સુધી તેમને હેરાન પરેશાન કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સાધ્વી ભાજપમાં સામેલ થયા છે તે પાર્ટીની મનોદશાને રજૂ કરે છે. સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય એકબીજાના જોરદાર વિરોધી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના એવા પસંદગીના નેતાઓ પૈકી એક છે જે લોકોએ યુપીએ સરકારના ગાળામાં ભગવા આતંકવાદના મુદ્દા ઉપર જોરદાર હોબાળો મચાવ્યો હતો. આજ કારણસર સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી મેદાનમાં દિગ્વિજયની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.

Previous articleશત્રુઘ્નસિંહાએ પત્નિ માટે પ્રચાર કર્યોઃ પાર્ટીએ કહ્યું શત્રુ પોતાનો પાર્ટી ધર્મ નિભાવે
Next articleદિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદમાં હોબાળોઃ નરસિમ્હા રાવ પર જૂતુ ફેંકાયુ