બરવાળામાં સંત લાલાબાપાની પૂણ્યતિથીની ઉજવણી કરાઇ

590

બરવાળા મુકામે સમસ્ત મોચી સમાજ દ્વારા સંતશ્રી લાલાબાપાની ૭૮ મી વાર્ષિક પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રવિણભાઈ ગોહિલ,મનિષભાઈ વાળા, જગદિશભાઈ વાળા સહિતના બરવાળા મોચી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા મુકામે સમસ્ત મોચી સમાજ દ્વારા ગોહિલ પરિવારના મઢે સંત લાલાબાપાની ૭૮ મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સવારે ૯ઃ૦૦ કલાકે  લાલાબાપાની પ્રતિમાની પુજાવિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સમસ્ત મોચી સમાજના લોકોને સહપરિવાર સાથે લાલાબાપાનો પ્રસાદની આરોગવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા લાલાબાપા મોચીજ્ઞાતિ પંચ સમિતિના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleવલ્લભીપુરમાં રામકથા દરમ્યાન હજયાત્રા કરી આવેલ મુસ્લીમ ભાઇ-બહેનોનું સન્માન
Next articleપોહીબીશનનાં આરોપીને ઝડપી લઈ પાસા તળે રાજકોટ જેલ હવાલે કરાયો