અલ્પેશ કથીરીયાને જેલ મુક્ત કરો, પાટીદારોએ આવેદન આપ્યું

542

પાટીદાર સમાજ ભાવનગર દ્વારા આજે કલેકટર કચેરી ખાતે અલ્પેશ કથીરીયાને જેલ મુક્ત કરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. રાજકીય કિન્નાખોરી રાખી અલ્પેશ કથીરીયાની ધરપકડ કરાઇ હોય. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ અલ્પેશને જેલ મુક્ત કરવાની માંગ સાથે આજે ભાવનગર પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ગોપાલ ઇટાલીયા, લાભુભાઇ કાત્રોડીયા સહિત આગેવાનો જોડાયા હતા અને પિયુષ કાકડીયાને માર મારવાની ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Previous articleદરેક ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજરનાં બદલે એક લીડરની વધુ જરૂર : જનકભાઇ મહેતા
Next article૩ સંતાનો સાથે પરણીતાને મરવા મજબુર કરનાર પતિ સહિત પાંચને ૧૦ વર્ષની કેદ