ખુલ્લા પગે રહેતા બાળકોને વિના મૂલ્યે ચંપલોનું વિતરણ

518

ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર શહેરમાં ખુલ્લા પગે રહેતા બાળકોને વિના મૂલ્યે ચંપલોનું વિતરણ શરૂ કરેલ છે. જેમાં કાળજાળ તડકામાં નાના મજુર પરિવારોના બાળકો ખુલ્લા પગે રસ્તા ઉપર જોવા મળે છે. આથી સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા દાતાના સહકારથી વિના મૂલ્યે ચંપલો વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમા મંડળના ભરત મોણપરા પોતાના બાઇક સાથે ચંપલ ભરેલ થેલો રાખે છે. રસ્તા ઉપર ખુલ્લા પગે રખડતા બાળકોને માપ પ્રમાણે ચંપલ પગમાં પહેરાવે છે. આ ચંપલ પહેરીને બાળકો આનંદીત થાય છે. આમ જનસેવા એ જ પ્રભુસેવાનું કાર્ય થઇ રહ્યું છે.૫૦૦ જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવશે.

Previous articleઅપહરણ-બળજબરીથી પડાવી લેવાનાં ગુન્હાનો આરોપી અમદાવાદથી ઝડપાયો
Next articleજુની બારપટોળી ચેતન હનુમાનજી આશ્રમે રામકથાનું આયોજન