ભાવનગરના ગૌરવપથ પરથી ગેરકાયદેસર દબાણો હટાવાયા

977

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં ગૌરવપથ પર થયેલ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસુલાત ઝુંબેશ બાદ ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાના અધિકારી સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી આરંભી હતી. અને શહેરના ચિત્રા વિસ્તારમાં ગૌરવપથને અડીને આવેલ.ગેરકાયદેસર દબાણ, બે ધાર્મિક સ્થળોને હટાવવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા લારી ગલ્લા, કેબીન, બે ધાર્મિક સ્થળ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આગામી દિવસોમાં શહેરમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ રહેશે. તેમ લોકસંસારને અધિકારી દ્વારા જણાવાયું છે.

Previous articleઅક્ષરવાડી ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી
Next articleઆર્યસમાજ ભાવનગર દ્વારા આર્યવીર દળનો શુભારંભ