રાણપુરમાં પાણીની કટોકટી નિવારવા પા.પુ.બોર્ડનાં કા.પા.ઇ., ટીડીઓ દોડી આવ્યા

629

બોટાદ જીલ્લાના રાણપુર શહેરની વસ્તી આશરે ૨૫૦૦૦ ની છે ભર ઉનાળે રાણપુરને દસ દિવસે પીવાનું પાણી મળતુ હોવાની વ્યાપક ફરીયાદ ને લઈ આજરોજ બરવાળા પાણીપુરવઠા બોર્ડ ના કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા,રાણપુર ટી.ડી.ઓ. તથા રાણપુર સરપંચ સહીત અધિકારીઓ રાણપુર ને પુરૂ પાડતા પીવાના પાણીના સમ્પ ઉપર દોડી આવ્યા હતા.રાણપુરને દસ દિવસે મળતુ પીવાનું પાણી ને લઈ માહીતી મેળવી હતી.જ્યારે રાણપુર ટી.ડી.ઓ.એ રાણપુરના ઔદ્યોગિક ગૃહોના જોડાણો કાપી નાખવા સરપંચને આદેશ કર્યા છે તથા રાણપુર ના તમામ ગેરકાયદેસર નળ કનેક્શનો દુર કરવામાં આવે અને ત્રણ ક્લાક થી વધારે પાણી ન આપવા સુચના આપવામાં આવેલ જેથી ત્રણ-ચાર દિવસે પાણી વિતરણ કરી શકાય,ભુતકાળની પાણી વિતરણની વ્યવસ્થાની ખામીને લીધે અથવા લેભાગુ હીત જળવાઈ તેવા વહીવટમાં ઘણા લોકોને ૮ ક્લાક પાણી આવે છે.જ્યારે ઘણાને ૨૪ ક્લાક પાણી મળે છે.ભુતકાળમાં કરેલી ભુલો ને તાત્કાલિક સુધારવાની જરૂર છે.પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા રાણપુરની પાણીની આવક ની તપાસ કરેલ.જ્યારે તેમણે જણાવેલ કે રાણપુર ને પુરતા પ્રમાણમાં રોજ પાણી આપવામાં આવે છે. તેમણે લોકસંસારનાં પ્રતિનિધિને જણાવેલ કે રાણપુર સરપંચને પાણી વિતરણ વ્યવસ્થા કડકાઇથી ગોઠવવા સૂચના આપેલ છે. ત્યારે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું.

Previous articleઅઝહર મસુદને આતંકી જાહેર કરાતા અમરેલી જિલ્લા ભાજપમાં ખુશી છવાઇ
Next articleસાળંગપુર બી.એ.પી.એસ. મંદિર ખાતે ૧૨ દિવસીય વેદાંત અધ્યયન પર્વ યોજાયું