પાલીતાણા SBI ATM માંથી ક્લાર્કનાં ૮૯૦૦ ઉપડી ગયા

840

પાલીતાણા શ્રીયશો વિજય જૈન ગુરૂકુળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હરેશભાઇ હિરાભાઇ મકવાણા રહે.લક્ષ્મીનગર, પાલીતાણાવાળા પાલીતાણાની એસબીઆઇ દરબારગઢ મેઇનબેકમાં ખાતુ ધરાવે છે. જેનું એટીએમ પણ છે તેમાંથી તા.૨૮-૦૪-૧૯ ના રોજ બપોરે ૪-૪૬ વાગે ૮૫૦૦ અને ૫-૧૦ વાગે ૪૮૦ એમ એક દિવસમાં ૨૪ મીનીટમાં કુલ રૂા.૮૯૦૦ ઉપડી ગયા જેની જાણ એસબીઆઇ મેનેજરને પણ કરેલ છે. તદુપરાંત પાલીતાણા ટાઉન પોલીસ ઇન્સપેક્ટરે જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરેલ છે. અગાઉ પણ એસબીઆઇ એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ઘટના બનવા પામી હતી. એસબીઆઇ એટીએમમાંતી અગાઉ શિક્ષક, પીજીવીસીએલના કર્મચારી, ખુદ ધારાસભ્ય ભાજપના સહિતના ફરીયાદ કરી ચૂકેલ છતાં હજી તે હાથ નથી લાગ્યા. ત્યાં બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Previous articleમસુદને આતંકી જાહેર કરતા ભાજપે ફટાકડા ફોડ્યા
Next articleશહેરમાં રખડતાં ઢોરનો આતંક યથાવત