પિતૃઓનાં માસ તરીકે ઓળખાતા ચૈત્ર-વૈશાખમાં પિતૃઓની તૃપ્તિ માટે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં કથા-વાર્તા અને સપ્તાહમાં રામકથા, ભાગવતકથા, શિવકથાઓનું વિશેષ આયોજન કરવામાં આવે છે. પાલીતાણા નજીકના પાદરગઢ ગામે કિશોરગીરી ગૌસ્વામી (ગીરીબાપુ-શિવ કથાકાર – વલભીપુર)ના ં વ્યાસાસને આગામી ૦૫-૦૫-૧૯ થી થશે. દિપ-પ્રાગટ્ય પૂ.મસ્તરામબાપુ કરશે. જોડેશ્વર મહાદેવની મહંત અશોકગીરીબાપુ જોડાશે. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સમસ્ત બહાદુરગઢ સર્વ પિતૃમોક્ષાર્થે આયોજન કરવામાં આવેલ છે. શિવકથા દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ અને સાંજે ૩-૩૦ થી ૫-૩૦ કિશોરગીરી બાપુ (વલ્લભીપુર) વાળા પોતાની આગવી શૈલીથી બહાદુરગઢમાં આવેલ પુરાતનિય જોડેશ્વર મહાદેવનાં મંદિરમાં યોજાશે. દરરોજ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.