જરૂરિયાતવાળા લોકો માટે સિહોરમાં ભગવાનની દિવાલ

644

સિહોર ઘાંઘલી રોડ વર્ધમાન કોમ્પ્લેક્સ  પર ક્લિનિક ધરાવતા ર્ડા. યોગેશભાઈ જોશી તથા સામાજિક સદભાવના  સમિતિ દ્વારા જરૂરિયાતવાળા લોકો નવા કોઈ પાસે વસ્તુઓ માટે હાથ લંબાવવો ન પડે માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ કોઈ નામ કે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી નહોય તેમ આ જરૂરિયાતમંદ લોકો માટે સેવાના સમિયાણા રૂપે દવાખાના બહાર ની દીવાલ પર ભગવાન ની દીવાલના નામ સાથે દીવાલ પર સિહોર ના નાગરિકો ની બિનજરૂરી વસ્તુઓ જેવીકે ચોપડા, વોટર બોટલ, ચપ્પલ,  બુટ-મોજા,  કપડાં સહિત તમામ પ્રકારની વસ્તુઓ આ દીવાલ પર ગોઠવવામાં આવશે કોઈ દાતા નો પ્રચાર નહિ હોય આ તમામ ચીજ વસ્તુઓ જરૂરત પ્રમાણે ગરીબ અથવા જરૂરીયાત વાળા લોકો પોતાની જાતેજ વિના સંકોચે લઈ શકશે  જે કોઈ આ સેવાના સમિયાણા મા શામિલ થવા માગતા હોય તો સામાજિક સદભાવના સમિતિ પ્રેરિત  ભગવાન ની દીવાલ  સુધી પોતાની બિનજરૂરી ચીજ વસ્તુઓ પહુચાડશો જેથી કરી જરૂરિયાતમંદ લોકો લાભ લઇ શકે.

Previous articleવડિલોની વયવંદના સાથે સગાઈનો પ્રસંગ ઉજવાયો
Next articleહાઇ-વે પર તોતીંગ વૃક્ષ ધરાશાયી : વાહન ચાલકનો આબાદ બચાવ..!!