સિહોર ઘાંઘલી રોડ વર્ધમાન કોમ્પ્લેક્સ પર ક્લિનિક ધરાવતા ર્ડા. યોગેશભાઈ જોશી તથા સામાજિક સદભાવના સમિતિ દ્વારા જરૂરિયાતવાળા લોકો નવા કોઈ પાસે વસ્તુઓ માટે હાથ લંબાવવો ન પડે માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ કોઈ નામ કે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી નહોય તેમ આ જરૂરિયાતમંદ લોકો માટે સેવાના સમિયાણા રૂપે દવાખાના બહાર ની દીવાલ પર ભગવાન ની દીવાલના નામ સાથે દીવાલ પર સિહોર ના નાગરિકો ની બિનજરૂરી વસ્તુઓ જેવીકે ચોપડા, વોટર બોટલ, ચપ્પલ, બુટ-મોજા, કપડાં સહિત તમામ પ્રકારની વસ્તુઓ આ દીવાલ પર ગોઠવવામાં આવશે કોઈ દાતા નો પ્રચાર નહિ હોય આ તમામ ચીજ વસ્તુઓ જરૂરત પ્રમાણે ગરીબ અથવા જરૂરીયાત વાળા લોકો પોતાની જાતેજ વિના સંકોચે લઈ શકશે જે કોઈ આ સેવાના સમિયાણા મા શામિલ થવા માગતા હોય તો સામાજિક સદભાવના સમિતિ પ્રેરિત ભગવાન ની દીવાલ સુધી પોતાની બિનજરૂરી ચીજ વસ્તુઓ પહુચાડશો જેથી કરી જરૂરિયાતમંદ લોકો લાભ લઇ શકે.