ગ્રામઉત્થાન કાર્યક્રમ યોજાયો

514

લાઠી તાલુકા ના લુવરિયા ખાતે  જીવદયા પ્રેમાળ ગ્રુપ -લુવારીયાના ઉપક્રમે ” ગ્રામ ઉત્થાન કાર્યક્રમ ” ૐ કારેશ્વર મહાદેવ મંદિરે , સાંજના ૫-૦૦ થી ૭-૦૦ સુધી બહોળી  જનમેદનીથી યોજાયો. સૌ પ્રથમ ભારતમાતાના દર્શન કરી દીપપ્રાગટ્ય સૌ મહેમાનોના હસ્તે કર્યું. ત્યારબાદ ગાયત્રી વેદોક્ત મંત્રોથી શરૂઆત કરી મહેમાનો નું પુસ્તકોથી સન્માન કર્યું. વકતા જાનીદાદા ( બાબરા ) એ ગાય રક્ષા અને સંવર્ધન , ઋષિ-કૃષિ ક્રાંતિ વિશે , અગ્રાવતભાઈએ ગ્રામઉત્થાન વિશે , રાકેશભાઈ નવી ભોજનપ્રથા વિશે વક્તવ્યો આપેલ.

Previous articleબરવાળા ખાતે મોચી સમાજના તેજસ્વી વિધાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો
Next articleગારિયાધાર દલિત સમાજે ઇફતાર પાર્ટી આપી