બરવાળાના સાળંગપુર ખાતે ગૌશાળામાં આગ લાગતા કડબનો જથ્થો ખાક

651

બરવાળા તાલુકાનાં સાળંગપુર મુકામે આવેલ બી.એ.પી.એસ.મંદિરની ગૌશાળા ખાતે આગ લાગતા કડબનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આગના બનાવની જાણ થતા જ બરવાળા ન.પા.ની ફાયર ટીમ દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. આ અંગે મળતી વિગત અનુસાર બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલ બી.એ.પી.એસ.મંદિરની અક્ષરવાડીની ગૌશાળા ખાતે તા.૦૪/૦૬/૨૦૧૯ ના રોજ સાંજના ૭ઃ૩૦ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેના કારણે પશુઓના ચારાની કડબના જથ્થામાં આગ પ્રસરી જતા મોટા પ્રમાણમાં કડબનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવ અંગેની જાણ બરવાળા નગરપાલિકાને થતા ન.પા.ના બે  ફાયર ફાયટર તેમજ આઠ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો ન.પા.ની ફાયર ટીમ દ્વારા ૩ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ બનાવમાં અક્ષરવાડીની ગૌશાળામાં અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે મેદાનમા રહેલી કડબનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

Previous articleજાફરાબાદ ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાનો સન્માન સમારોહ યોજાયો
Next articleવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગામઠીનાં સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા એરપોર્ટમાં ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ