કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું ભાવ. શહેર ભાજપ દ્વારા સન્માન

1235

ભાવનગરનાં પનોતા પુત્ર અને કેન્દ્રીય મંત્રી મંડળમાં સતત બીજી ટર્મમાં મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવતા ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે તેમનો સાદગી પૂર્વક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સતત બીજી વખત ચૂંટાયેલા સાંસદ ભારતીબેન શિયાળનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગરનાં ડા.મનસુખભાઇ માંડવીયાને તાજેતરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબીનેટમાં સતત બીજી વખત કેન્દ્રીય મંત્રી તરીકેનો હોદ્દો આપવામાં આવેલ છે. ભાવનગર માટે ગૌરવ સમાન બાબત છે. ત્યારે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવતા ડા.માંડવીયાનો શહેર ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ સાદગી પૂર્વક યોજાયો હતો. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ ઉપરાંત શહેર પ્રમુખ સનતભાઇ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર મનભા મોરી, સહિત ભાજપ સંગઠનનાં શહેર જિલ્લાનાં હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરોએ તેમનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી ડા.માંડવીયાએ કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળતા ભાવનગરનાં અલંગનો વિકાસ, રોડ સહિતના પ્રશ્નો પર પૂરતું ધ્યાન આપી ભાવનગરનાં વિકાસને પ્રાધાન્ય  આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Previous articleભાવનગરમાં ડા.નયન જોશીનાં શ્યામ વેટરનરી ક્લિનિકનો પ્રારંભ
Next articleએક્ટિંગ મારી પેશન છેઃ એન્જેલા ક્રિસલીજકી