રાજુલા ખાતે કોર કમિટિ દ્વારા તેજસ્વી તારાલાનો સન્માન સમારોહ યોજાયો

473

રાજુલા ખાતે ઓલ મુસ્લમ સમાજ કોરકમિટિ દ્વારા તેજસ્વી તારલાનો સન્માન સમારોહમાં કોમી એકતાના દર્શન સાવરકુંડલા માનવ મંદિરના મહંતના ભક્તીરામબાપુની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો. રાજુલા ઓલ મુસ્લિમ સમાજ કોર કમિટી દ્વારા ધો. ૧૦-૧ર બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેનો એક શાનદાર સમાોરહ સાવરકુંડલા માનવ મંદિરના પુજય ભક્તિરામ બાપુની અધ્યક્ષતનામાં તથા ધારાસભ્ય અંબરિશભાઈ ડેરની વિશેષ હાજરીમાં યોજાઈ ગયો આ પ્રસંગે સૈયદ ભીખુભાબાપુ, સૈયદ શબ્બીરબાપુ, મારૂતિ ધામના પૂ. પ્રભુદાસ બાપુ અને કોર કમિટિના ઈરફાન ગોરી, હકુભાઈ જીવાણી, રસુલભાઈ કુરેશી, કાદરભાઈ મન્સુરી, કુતુબભાઈ કપાસી, નસરૂભાઈ ડોસાણી, નાસીર અલી જમાણી, આશિશ અલી મુની, હબીબભાઈ જોખીયા, સાજીદ ભોકિયા સહિત વિદ્યાર્થીઓ વાલીઓ, પત્રકારો, રાજકીય, સામાજિક આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ. વિદ્યાર્થી સન્માન સમારોહના આ પ્રસંગે વિવીધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ર૦ જેટલા ડોકટરો સહિત મહાનુભાવોનું પણ સન્માન સમારોહના આ પ્રસંગે વિવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ર૦ જેટલા ડોકટરો સહિત મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામભાઈ શિક્ષક તથા ઈશાની રૈયાણીએ કર્યુ હતું.

Previous articleગઢડાના પેટ્રોલપંપમાં ફાયરીંગ કરી લૂંટ કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
Next articleરાણપુરના બગડ ગામનો મુસ્લિમ યુવાનની સિધ્ધી