રણબીર સાથેના સંબંધો મુદ્દે આલિયા બોલી : નજર ના લાગે કોઇની

496

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર બોલિવૂડના જાણીતા કપલ્સમાંથી એક છે. આ બંનેની જોડી છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. એવોર્ડ શોમાં એકબીજાના વખાણ કરવાથી લઈ પ્રેમનો સ્વીકાર કરવો અને સાથે વેકેશન મનાવવું, હાલમાં આ જોડી સાથેને સાથે જોવા મળે છે. થોડાં સમય પહેલાં જ રણબીર-આલિયાએ પોતાની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ વારાણસીમાં કર્યું હતું.

હાલમાં જ આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂર સાથેના સંબંધોને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતું, ’આ રિલેશનશીપ નથી પરંતુ એક મિત્રતા છે. હું પૂરી ઈમાનદારીથી આ વાત કહી રહી છું. આ સંબંધ ઘણો જ સુંદર છે. હાલમાં હું સાતમા આસમાને વિહરી રહી છું. સૌથી સારી વાત એ છે કે અમે બંને પ્રોફેશનલ લાઈફ આરામથી જીવી રહ્યાં છીએ. તે સતત શૂટિંગ કરી રહ્યો છે અને હું પણ શૂટિંગમાં વ્યસ્ત છું. આ એવી સ્થિતિ છે, જેમાં તમે સતત અમને સાથે જોઈ રહ્યાં છો. આ જ એક સહજ સંબંધોની નિશાની છે. નજર ના લાગે કોઈની.’આલિયાએ વધુમાં કહ્યું હતું કે રણબીરે તેને મુશ્કેલ સમયમાં સ્ટ્રેસ ના લેવાની સલાહ આપી છે. તેણે કહ્યું હતું, ’હું એવી વાતોમાં ઘણો જ સ્ટ્રેસ લઉં છું, જેના પર મારું કોઈ જ નિયંત્રણ નથી. એક સમય હતો જ્યારે હું પૂરી મહેનતથી કામ કરતી હતી અને બહુ જ સ્ટ્રેસમાં હતી. આ સમયે રણબીરે મને કહ્યું હતું કે જો તુ મહેનતથી કામ કરે છે તો તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

Previous articleફિલ્મ કબીર સિંહે બે દિવસમાં ૪૨ કરોડની કમાણી કરી
Next articleઅમેરિકન ટીવી શોમાં ડેબ્યૂ કરશે બોલિવુડ એક્ટ્રેસ શ્રુતિ હસન