અલીગઢના દુષ્કર્મીઓને ફાંસી આપવા રાણપુરનાં ગ્રામજનો દ્વારા માંગણી

434

ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરી મારી નાખવાની ઘટનાના દેશમાં પડઘા પડી રહ્યા છે.આ બળાત્કારીઓએ માસુમ બાળકીની આંખો કાઢી નાખી હાથ પગ કાપી નાખી બાળકીના કીડની અને અન્ય અંગો પણ કાઢી નાખવામાં આવ્યા હતા.આ નરાધમોને ફાંસી મળે તે માટે રાણપુર ગ્રામજનોએ ભેગા મળી મામલતદાર ને આવેદનપત્ર આપી માંગણી કરી હતી.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકી પર નરાધમો દ્વારા બળાત્કાર કરી મારી નાખવામાં આવી છે.આ નરાધમો જ સમાજમાં રહેશે તો ફરીથી આ પ્રકારનું કૃત્ય કરશે તેથી સમગ્ર રાણપુરના લોકોની માંગણી છે કે આ ક્રુર હત્યારા નરાધમોને બળાત્કારીઓને કડકમાં કડક ફાસીની સજા આપવામાં આવે અને આવા બળાત્કારીના આરોપીને તથા સહભાગી કે મદદગારી કરી હોય તેને કડક સજા કરવામાં આવે તેવી માંગણી રાણપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી.

Previous article‘માણસ બદલાય છે, સમય નહિ.’
Next articleબાબરાના ઈંગોરાળા ગામે બે ઈંચ વરસાદ