રાજકોટ ખાતે ભાવેણામાં પ્રિયાબા જાડેજાને સ્ક્રિલ એવોર્ડ અપાયો

513

રાજકોટ ખાતે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા દર વર્ષની માફક સમગ્ર ગુજરાતમાંથી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારને સ્ક્રિલ એવોર્ડ આપવામાં આવે છે. ૨૦૧૮માં સીમલા ખાતે ઇન્ટરનેશનલ  ફોટોગ્રાફીમાં ચાર દેશોના ફોટોગ્રાફર સાથે ભાગ લેવામાં ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજાને સ્ક્રિલ એવોર્ડ ગાયત્રીબા વાઘેલાના હસ્તે અપાયો હતો. મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા અને ગુજરાતના મંત્રી  હકુભા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં આ એવોર્ડ અપાયો હતો. પ્રિયાબાને છેલ્લા ૪ વર્ષથી આ સંસ્થા સન્માનિત કરે છે. પ્રિયાબાના પ્રદર્શનો, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, પુના, સીમલા, ગોવા, જયપુર વગેરે સ્થળોએ યોજાયા છે.

Previous articleગઢડા ખાતે ૨૬મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ
Next articleગ્રીનસીટીના વૃક્ષો સાથેના ટ્રી-ગાર્ડને માટીથી દાટી દેવાયા