ભારત સામે ઝૂક્યુ એન્ટિગુઆ : મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરશે

411

પંજાબ નેશનલ બેન્કને લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગનાર હીરા વેપારી મામા મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધવાની છે. ભારતના દબાવમાં એન્ટીગા સરકારે મેહુલ ચોક્સીની નાગરિકતાને કેન્સલ કરવાનો નિર્ણય લીઘો છે. એન્ટિગુઆના વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, મેહુલ ચોક્સીને પહેલા અહીંની નાગરિકતા મળી હતી. પરંતુ હવે તેને રદ્દ કરવામાં આવી રહી છે અને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી રહ્યા છે. અમે કોઈપણ એવા વ્યક્તિને પોતાના દેશમાં નહીં રાખીશું. જેના પર કોઈપણ પ્રકારનો આરોપ લાગ્યો હોય. વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉનના જણાવ્યા અનુસાર, હવે એન્ટિગુઆમાં મેહુલ ચોક્સી પાસે કોઈપણ પ્રકારનો કાયદાકીય રસ્તો બચ્યો નથી, કે જેને કારણે તે બચીને ભાગી શકે, આથી તેનું ભારત પાછા ફરવું લગભગ નક્કી છે.

તેમણે કહ્યું હતું કે, હાલ મેહુલ ચોક્સી સાથે સંકળાયેલો આ મામલો કોર્ટમાં છે, આથી અમારે પૂરી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટિગુઆના વડાપ્રધાને કહ્યું હતું કે, તેમણે તેને લઈને ભારત સરકારને પૂરી જાણકારી આપી દીધી છે. જોકે, મેહુલ ચોક્સીને તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે તેની પાસે કોઈ પણ કાયદાકીય ઓપ્શન નહીં બચશે, ત્યારે તેને ભારતને પ્રત્યાર્પિત કરી દેવામાં આવશે.ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાપર્ણના પ્રયાસમાં લાગેલી છે.

એન્ટીગુઆની કોર્ટમાં મેહુલના કેસમાં આગામી મહિને સુનાવણી કરવામાં આવશે.

જણાવી દઈએ કે મેહુલ ચોક્સી પીએનબી સ્કેમમાં મુખ્ય આરોપી નીરવ મોદીનો બિજનેસ પાર્ટનર અને મામા છે. છેલ્લા લાંબા સમયથી તે ભારત છોડી એન્ટીગીમાં રહેતો હતો. તેણે એક વીડિયો જાહેર કરી પોતાને એન્ટીગાનો નાગરિક પણ જણાવ્યો હતો.

બીજી તરફ, પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસી પર મુંબઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ. હાઈકોર્ટે ચોકસીને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય સંબંધી તપાસના પેપર્સ મુંબઈના સરકારી મોકલે. કોર્ટે કહ્યું છે કે હોસ્પિટલના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ રિપોર્ટનો અભ્યાસ અને એનાલિસિસ કર્યા બાદ કોર્ટને જણાવશે કે તે ભારતનો પ્રવાસ કરવા માટે ફિટ છે કે નહીં.

ચોક્સીએ ગત સપ્તાહે કહ્યું હતું કે, તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. ગત વર્ષે સર્જરી બાદ ડોક્ટર્સે લાંબી મુસાફરી કરવાની ના પાડી હતી. ભારતીય એજન્સીઓ ઈચ્છે તો એંન્ટીગુઆ આવીને પુછપરછ કરી શકે છે. ત્યારબાદ ઈડ્ઢએ મુંબઈની કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું હતું કે, ચોક્સીને મેડિકલ સુપરવિઝનમાં ભારત લાવવા માટે એર એબ્યુલન્સ આપવા માટે તૈયાર છે.

Previous articleઝારખંડમાં બસ ખીણમાં ખાબકતા ૬ના મોત : ૪૦ ઘાયલ
Next articleબિહાર બાળકોના મોત મુદ્દે પ્રદર્શન કરનારની સામે કેસ