ધારપીપળા રોડ ઉપર લીકેજ લાઈનને લીધે હજ્જારો લીટર પાણીનો વેડફાટ

514

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધારપીપળા રોડ ઉપર કેટલીક જગ્યાએ પીવાના પાણીની લાઈન મોટા પ્રમાણમાં લીકેજ હોવાથી હજ્જારો લીટર પાણી વેડફાઈ જાય છે.પચ્ચીસ હજારની વસ્તી ધરાવતા રાણપુરના લોકોને દસ થી બાર દિવસે માંડ માંડ પાણી મળે છે.ત્યારે હજ્જારો લીટર પાણીના વેડફાટ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પગલા નહી લેવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુરમાં ભર ઉનાળે અને ચોમાસાનો પ્રારંભ થયો તો પણ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.દસ થી બાર દિવસે માંડ પાણી આવે અને એ પણ ટાઈમ વગરનું ક્યારેક તો વહેલી સવારે ૪,૫ વાગ્યે પાણી આપે છે.લોકો સુતા હોય કોઈને ખબર પણ નો હોય કે પાણી આવ્યુ છે અને બધ્ધુ પાણી બહાર વહી જાય છે. જ્યારે ધારપીપળા રોડ ઉપર બસ સ્ટેશન ના ચાર રસ્તા થી માર્કેટીંગ યાર્ડ સુધીમાં કેટલીય જગ્યાએ પીવાનું પાણી મોટા પ્રમાણ માં લીકેજ થાય છે જેના લીધે આગળના વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી ન આવતું હોવાની વ્યાપક ફરીયાદો છે જયારે રાણપુર તાલુકા પંચાયતની સામે જ સૌથી વધુ પાણી લીકેજ થાય છે.લોક ચર્ચા મુજબ હજ્જારો લીટર પાણી એક જ જગ્યાએ થી લીકેજ થાય છે અને ત્યાથી અનેક અધિકારીઓ નિકળે છે તેમને પણ પણ આ લીકેજ લાઈન દેખાતી નથી.આવી લીકેજ લાઈનો તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તો આ વેડફાય રહેલા પાણીને બચાવી શકાય.જ્યારે વધુ માં મળતી માહીતી મુજબ થોડા સમય પહેલા જ મેઈન પાણીની લાઈન નવી નાંખવામાં આવી હતી અને બે જ દિવસમાં આ મેઈન લાઈન તુટી ગઈ હતી અને તરત પાછી બીજી લાઈન નાખવામાં આવી હતી વારંવાર થતા ખોદકામ ને લીધે પણ પાણીની લાઈનો તુટી જાય છે.હવે જોવુ એ રહ્યુ કે સ્થાનિક તંત્ર લીકેજ થયેલી લાઈનો રીપેર કરે છે કે પછી પાણી નો વેડફાટ ચાલુ રહેવા દેશે.

Previous articleદામનગરમાં સૂક્ષ્મજીવો માટે આહારની વ્યવસ્થા
Next articleચિતલમાં સરસ્વતી વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો