લૂંટ કેસમાં દાયકાથી ફરાર શખ્સ ગારિયાધારથી ઝડપાયો

600

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાઘાર પોલીસ સ્ટેશન  વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાઘાર પોલીસ સ્ટેશનના લૂંટ, ધાડના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી શંકર રણસિંગ ભીલ માયાવાડ તા. ભાભર (એમ.પી) વાળો ગારીયાઘાર મીઠા કુવા પાસે રોડ ઉપર ઉભો  છે. તેવી હકિકત મળતા ગારીયાઘાર મીઠા કુવા પાસે આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા  ઇસમને પકડી નામ સરનામું પુછતા પ્યારસિંગ ઉર્ફે શંકર રણસિંગ વસોનીયા/ભીલ ઉવ-૩૫  હોવાનું જણાવતા ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે ગારીયાઘાર  પોલીસ સ્ટેશનમાં  ગુન્હો નોઘાયેલ હોય પો.સબ.ઇન્સ. ગારીયાઘાર પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

Previous articleમારામારીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો
Next articleપ્લાસ્ટીક વિવર્સ એસો. દ્વારા બાઇકરેલી