તળાજામાં બારોટ વંદના કાર્યક્રમનો બર્થ-ડે, ચોપડા વિતરણ કાર્યક્રમ

486

તળાજા ખાતે બારોટ સમાજના લોક સાહિત્યકાર સાગરભાઇ બારોટ દ્વારા તળાજા બારોટ સમાજ દ્વારા દેશ અને પરદેશમાં બારોટ વંદના કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. તે બારોટ વંદના કમિટીના સભ્ય હોય એટલે તેમની ફરજમાં આવતું હોય કે બારોટ વંદના કાર્યક્રમને આજે એક વર્ષ પૂર્ણ થતા તે કાર્યક્રમનો બર્થ-ડે ઉજવવો તેમાં વિશેષ બારોટ સમાજના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મયુરભાઇ બારોટ, કિશોરભાઇ બારોટ, મહેન્દ્રભાઇ બારોટ, તુષારભાઇ બારોટ, ગોપાલભાઇ બારોટ, ધવલભાઇ બારોટ, ધર્મેન્દ્રભાઇ બારોટ, સહિત તળાજા બારોટ સમાજે પ્રેરણા દાયક પ્રસંગ ઉજવતા બારોટ સમાજે શુભેચ્છા આપેલ.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલનો વિદ્યાર્થી ડાન્સ કોમ્પીટીશનમાં રાજ્યમાં ઝળક્યો
Next articleયોગ દિવસના કાર્યક્રમમાં સ્કાઉટ-ગાઇડ