રજવાડી મજરલોડ નાની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી આરઆરસેલ

795

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોક કુમારે ભાવનગર શહેર તથા જિલ્લામાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે જેમાં કોઇ અછન્ય બનાવ ન બને તે માટે ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન  મુજબ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી રાજુભાઇ ઉર્ફે ડામરીયો શામજીભાઇ સોલંકી ઉ.વ.૪૪ રહેવાસી-કુંભારવાડા, મહાલક્ષ્મી મીલની ચાલી, ખાનદાન નિવાસની શેરી ભાવનગર વાળાને રજવાડી મજરલોડ નાની બંદુક-૧ કિ.રૂ.૫૦૦૦/- સાથે મોતીબાગ ટાઉન હોલની સામેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા તથા એઝાજખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Previous articleઆદસંગ ગામની યુવતિનું સુરતમાં વીજપોલમાં શોક લાગતા મોત થયું
Next articleઅપહરણનાં ગુનામાં ૭ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી આરઆરસેલ