મુંબઈનાં હાલ બેહાલ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

1291

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત મહારાષ્ટ્‌માં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. અતિ ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો છે જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. મુંબઇમાં છેલ્લા કેટલાક દશકોમાં સૌથી વધારે વરસાદ થયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં ૨૫થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં તો પાંચથી છ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મોડી રાત્રે મલાડ ઇસ્ટ-કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે ૧૯ લોકોના મોત થયા છે. મલાડ-ઇસ્ટમાં પિમ્પરીપાડામાં દીવાળ ધરાશાયી થવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મુંબઇ એરપોર્ટ ખાતેથી  ૫૪થી વધારે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈ વિમાની મથક ખાતે સેવા બંધ કરવામાં આવ્યા બાદ તેને ફરી શરૂ કરવામાં ૪૮ કલાકનો સમય લાગી શકે છે. અતિ ભારે વરસાદની ચેતવણી હજુ પણ જારી કરવામાં આવી છે. જો કે, બીએમસીમાં કોઇ રજા જાહેર કરવામાં આવી નથી. છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બીએમસી કન્ટ્રોલ રુમની આજે મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર સરકારે મલાડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકારે આજે દરેક સરકારી અને ખાનગી સ્કુલોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મોટી સંખ્યામાં ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. મુંબઇમાં  ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.   શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે.  જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી.

તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી.  હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ પાલઘરમાં ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને અનેક ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ભારે વરસાદથી હિંદમાતા, સાયન, કુર્લા, બાંદરા, દાદર, કિંગ સર્કલ,

Previous articleવાયુસેના તેજ ફાઇટર જેટની ઇંધણની ટાંકી કોયમ્બતૂર પાસે ખેતરમાં પડી
Next articleમાલ્યાને લંડન કોર્ટમાં મોટી રાહત, પ્રત્યર્પણ વિરુદ્ધ કરી શકશે અરજી