ભક્ત દાસારામ બાપુની ૨૮૦મી પૂણ્યતિથી ઉજવાશે

615

સગર જ્ઞાતિના સંત શિરોમણી ભક્ત દાસારામ બાપુની ૨૮૦મી પૂણ્યતિથી તા.૦૪-૦૭ને ગુરૂવારે શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવાશે. ૧૬૯૬માં બાલાગામ મુકામે જન્મેલા સંવત ૧૮૦૫માં બાલાગામ મુકામે વાવમાં જળસમાધી લીધેલ હતી. તેવા અવતારી ભક્ત દાસારામ બાપુની પૂણ્યતિથી નીચે મુજબનાં ગામ શહેરમાં ઉજવાશે. તેમાં જન્મસ્થળ બાલાગામ, ઉપલેટા, જારેલા, સાવરકુંડલા, મહુવા, તળાજા, અમદાવાદ, ભાવનગર સહિત ઉજવાશે. ભાવનગર સગર જ્ઞાતિ દ્વારા તા.૦૪-૦૭ ને ગુરૂવારે વડવા દેવજી ભગતની ધર્મશાળા લક્ષ્મણજી મંદિરમાં ઉજવાશે. દરેક સગર જ્ઞાતિના ભાઇઓ તથા બહેનોએ સમયસર હાજર રહેવા જ્ઞાતિના પ્રમુખ નટુભાઇ સગર દ્વારા જણાવાયું છે.

Previous articleશિવકુંજ આશ્રમ – જાળિયા ખાતે શ્રાવણ માસમાં યજ્ઞોના આયોજન
Next articleપાડરશીંગા નકળંગધામમાં અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે