રાજુલા પો.સ્ટે.ના નિવૃત્ત થતા ૩ કર્મીનો વિદાય સમારોહ યોજાયો

611

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક સાથે ત્રણ ત્રણ પોલીસ કર્મીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા પી.આઇ.તુવર પી.એસ.આઇ. જાડેજા દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. રાજુલા પોલીસ મથકે પી.આઇ.તુવરના અધ્યક્ષસ્થાને વયમર્યાદા કારણે નિવૃત્ત થતા જયંતીભાઇ સાંખટ, ડવભાઇ આહીર અને સી.કે.ભાઇનો વિદાય સમારોહ પીએસઆઇ જાડેજા દ્વારા સાકર પડો શ્રીફળ આપી તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને આમંત્રીત કરી શાનદાર રીતે ઉજવાયો આ પ્રસંગે રાજુલા, પાપીવાવ મરીન સહિત તમામ પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિ રહેલ.

Previous articleશેખપીપળીયાના ગ્રામજનો દ્વારા સતર ચેકડેમ અને ત્રણ હજાર વ્રુક્ષોનું વાવેતર કરી નંદનવન બનાવ્યું
Next articleવલ્લભીપુર સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર જસપાલસિંહ ગોહિલની પ્રેરક પ્રમાણિકતા