જાફરાબાદ ખારવા સમાજના સમૂહલગ્નની તડામાર તૈયારી

516

જાફરાબાદ ખારવા સમાજ ના ૨૪ માં સમુહલગ્ન ની તડામાર તૈયારી જાફરાબાદ ખારવા સમાજના  સમુહ લગ્ન આગામી તા ૧૧. ૭.ના દિવસે  ૧૨૪યુગલ પ્રભતા માં પગલાં માંડશે તેની તૈયારી માં સમસ્ત ખારવા સમાજ એક સાથે તૈયારી કરી રહયૉ છે  ૧૨ તારીખ ના સવાર ના વર ઘોડો નીકળશે  આ વર ઘોડા માં ૧૨૪ વર રાજા વિવિધ પોશાક સાથે જાફરાબાદ ની મુખ્ય બજાર માં ફુલેકા માજોડાશે જેમાં વર રાજા પાસે છત્રી તેમજ લાકડાની તલવાર હશે આ વરઘોડો જોવા માટે સમગ્ર જાફરાબાદ તથા તાલુકા ના ગામડા ના લોકો તેમજ  અન્ય ઘણા શહેરો માંથી મોટીસંખ્યામાં  લોકો આવશે સાઘુ સંતો રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ માં આ સમુહલગ્ન સમારોહ યોજાશે જેમાં ખારવા સમાજ ના આગેવાનો નારણભાઈ કલ્યાણભાઇ બાંભણિયા તથા નરેશભાઈ રાજાભાઇ બારૈયા માલાભાઈ કાનાભાઈ વંશ, રાજેશ ભાઈ છનાભાઈ બારૈયા દ્વારા મહેમાને આગતા સ્વાગતા કરવામાં માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે લગ્ન માટે મંડપ સમયાણા ની સંપૂર્ણ તૈયારી ઓ થાય સુકી છે.

Previous articleપોતાના હિત ખાતર દેશનું અહિત ન કરવું જોઇએ – પૂ.રમેશભાઇ ઓઝા
Next articleતળાજા રામીમાળી જ્ઞાતિનો ઇનામ વિતરણ સમારોહ