દેશ વિરોધી જેહાદી સંગઠનોની ગતિવિધી પર અંકુશ લાવવા માંગણી

511

ઘણાં વર્ષોથી અલગાઉ વાદી માનસિકતા સાથે ચાલવાવાળા ઇસ્લામીક જેહાદી સંગઠનોની દેશ વિરોધી અને હિન્દુ વિરોધી ગતિવિધીઓને કારણે દેશમાં હિન્દુ સમાજ અને તેમના ધર્મસ્થળો પર સરેઆમ હુમલા કરી એકત્રીત હિન્દુ માનવ મેદનીના નામ પર છુટી છવાઇ ખોટી ઘટનાઓને વધારીને ભલી ભોળી ગ્રામીણ પ્રજા, ગૌરક્ષકો, રામભક્તો તથા રાષ્ટ્રભક્ત લોકોને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

જેહાદી આંતકવાદીની વાત હોય યા તો પ્લાયનની હોય કાશ્મીરની અલગાઉવાદની હોય કે કેરળ બંગાળ કે કર્ણાટકમાં હિન્દુ ઉપર જાન લેવા હુમલાની હોય કે રાજધાની દિલ્હીમાં વ્યાપારી કેન્દ્ર  સમા ચાંદની ચોક જેવા વિસ્તારમાં હિન્દુ દેવસ્થાનો હિન્દુના ઘર ઉપર હુમલાની વાત હોય અથવા સુરત, જયપુર, રાંચીમાં તેમના ભારત વિરોધી હિંસક પ્રદર્શનથી બધી જગ્યાએ આ જેહાદીઓના કારણે હિન્દુ સમાજ આક્રોશ મય છે. તેની સામે પગલાં લેવા મોટ આજરોજ બજરંગદળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવેલ.

Previous articleતળાજાના જુનારાજપરા વિસ્તારમાંથી દરિયાઇ રેતી ચોરી અટકાવવા માંગ
Next articleભાવનગર ડિવીઝનનાં રેલ કર્મચારીઓનું સન્માન કરાયું