સ્વરા ભાસ્કરે મુઘલો મુદ્દે ટિપ્પણી કરતા ટિ્‌વટર પર ટ્રોલ થઇ

563

અભિનેત્રી સ્વરા ભાસ્કર તેની વાત બિન્દાસ્ત રીતે કહેવા માટે જાણીતી છે. જેના માટે તે હંમેશા ટ્રોલર્સના નિશાન પર પણ રહે છે. કોઇનો કોઇ વાતને લઇને તે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવે છે.

હવે સ્વરા ભાસ્કર એક વખત ફરીથી ટિ્‌વટર પર ટ્રોલ થઇ રહી છે. આ વખતે સ્વરાએ મુઘલોને લઇને ટિપ્પણી કરી છે. જેના કારણથી ટ્રોલર્સે સ્વરા ભાસ્કરને આડે હાથી લીધી છે અને તેના વિરુદ્ધ ટ્‌વીટ કરી રહ્યા છે.

સ્વરા ભાસ્કરે એક ટિ્‌વટમાં લખ્યું કે મુઘલોએ ભારતને સમૃદ્ધ બનાવ્યો હતો. તે બાદથી સ્વરાની ખૂબ આલોચના થવા લાગી છે. સ્વરાના આ ટ્‌વીટ બાદ લોકો તેની પર ગુસ્સો વ્યક્ત કરીને તેના વિરુદ્ધમાં ટિ્‌વટ કરી રહ્યા છે.

Previous articleભાવનગરના રેલ્વે કોલોની અને વડવામાંથી કુટણખાના ઝડપાયા
Next articleમેહન્દ્ર ધોનીમાં ઘણુ બધુ ક્રિકેટ બાકી, સંન્યાસનો કોઇ પ્રશ્ન જ નથી : જાવેદ અખ્તર