ઇન્ડો-બાંગ્લા ટેનીસ, વોલીબોલમાં ભાવનગરનાં ખેલાડીઓની પસંદગી

483

ઇન્ડો-બાંગ્લા ઇન્ટરનેશનલ ટેનીસ વોલીબોલ ચેમ્પીયનશીપ – ૨૦૧૯ કે જે ૨૫ થી ૨૭ જુલાઇ ઢાંકા, બાંગ્લાદેશ મુકામે રમાવાની છે. જેમાં ભાવનગરનાં જાડેજા ધર્મવિરસિંહ અનિરૂદ્ધસિંહ ભારતની ટીમનાં તેમજ એશિયા કપ અને વર્લ્ડ કપના કોચ અને ભારતના સલાહકાર કમીટીમાં પસંદગી પામેલ છે. તેઓ બી.એમ. કોમર્સ હાઇસ્કુલ ખાતે ખેલાડીઓને તાલીમ આપી રહ્યા છે.

તેમજ ભાવનગરનાં જાડેજા વિરભદ્રસિંહ મહોબતસિંહ ચુડાસમા નંદીનીકુંવરબા, મયુરધ્વજસિંહ અને દિહોરા ઉર્જા હિતેશભાઇ  ભારતની ટીમમાં રમતવીર (પ્લેયર) તરીકે પસંદગી પામેલ છે. તેઓ આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેઓએ ભાવનગર તેમજ ગુજરાતનાં ગૌરવમાં વધારો કરેલ છે.

Previous articleજાફરાબાદની ડાંડીયા મીડલ સ્કુલમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ
Next articleરાજુલામાં પાથરેલી મોરમનાં કામમાં અધધ બિલ મુકાયા