રામદેવપીરનાં સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો આજથી પ્રારંભ, વાજતે-ગાજતે નેજાયાત્રા નીકળી

112

ભાવનગર તા,૧૫
દર વર્ષની માફક ભાદરવા સુદ દશમની રણુજાનાં રાજા રામદેવપીરનાં સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આજથી પ્રારંભ થયો છે. આજે સવારે વિવીધ સ્થળોએ નેમયાત્રાઓ કાઢીને રામાપીરનાં ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શહેરનાં સરદારનગર કુંભારવાડા નારીરોડ, ખેડુતવાસ, ચિત્રા, કરચલીયા પરા સહિતનાં વિસ્તારોમાં આવેલા રામદેવપીરનાં મંદિરે આજથી સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં ભાવિકો દ્વારા રામાપીરનાં નેજા સાથે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી અને મંદિરે રામાપીરને નેજા ચડાવવામાં આવ્યા હતા મેયર કિર્તીબેન દ્વારા નેજા યાત્રાનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.

ભાવનગર શહેરમાં ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ સાથે જ ભાદરવી દશમ નિમિત્તે રામદેવપીર બાપાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. ભાદરવી દશમના દિવસે ભગવાન રામદેવપીર બાપાનો જન્મદિવસની ભાવનગર શહેરમાં ભક્તિભાવ સાથે સાડા ત્રણ દિવસનો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરના કુંભારવાડા, કારચલિયા પરા, આનંદનગર, ચિત્રા, ફુલસર, અધેવાડા, સુભાષ નગર સહિતના વિસ્તારોમાં રામદેવપીર બાપાના મંદિર ખાતે સાડા ત્રણ દિવસ માટે ભવ્ય ઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. રામદેવપીર બાપા જન્મોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવે છે. આજે રામદેવપીર બાપાના જન્મોત્સવના પ્રારંભ સાથે જ ઢોલ નગારા અને ડીજે સાથે કુંભારવાડા નારી રોડ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રામદેપીરબાપાના મંદિર ખાતે થી ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવી હતી. આ નેજા યાત્રામાં રામદેવપીર બાપા મંડળના સભ્યો, સ્થાનિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે નેજા યાત્રા બાદ બીજા દિવસે રામદેવપીર બાપાનું આખ્યાન અને ડેગ દર્શન તેમજ ત્રીજા દિવસે મહાઆરતી મહાપ્રસાદ અને છેલ્લા દિવસે જ્યોત વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ થી પરંપરગત રીતે રામદેવપીર બાપાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર ખાતે યોજાતા રામદેવપીર બાપાના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં તમામ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બે વર્ષની કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા આ વર્ષે મંજૂરી આપવામાં આવતા કોર્ટની ગાઈડલાઈન અનુસાર શહેરમાં અનેક વિસ્તારોમાં રામદેવપીર બાપાના ઉત્સવોના આયોજન કરવામાં આવ્યા હતા.

Previous articleગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન કોળીયાકના દરિયામાં કરવામાં આવ્યું
Next articleઅમદાવાદથી ધારી જતી બસમાં આગ લાગી, ૪૭ મુસાફરોનો ચમત્કારીક બચાવ