ભંડારિયામાં જૈન દેરાસરના જીણોદ્ધાર સાથે સંઘ દ્વારા સુવિધાઓ વિકસાવાશે

462

ભડી ભંડારિયામાં પાર્શ્વનાથ ભગવાનના ઘર દેરાસરનો જીણોદ્ધાર કરવા સંઘે નક્કી કર્યું છે, આ ઉપરાંત આવાસ નિવાસ માટે દાતા પરિવારના સહયોગથી સેનેટરી તેમજ બેઠક વ્યવસ્થા માટે ડોમનું નિર્માણ પણ થશે. સંઘની વિનંતીને માન આપી તાજેતરમાં શાસન સમ્રાટ નેમીસુરીશ્વરજી સમુદાયના પૂ.આ.ભ નિર્મળચંદ્રસુરી શ્વરજી મ.સા.એ આદિ ઠાણાં સાથે ખાસ ભંડારિયા આવી આ માટે માર્ગદર્શન પૂરું પાડી મુહુર્ત આપ્યું હતું.
ભંડારિયામાં જસાણી મનસુખલાલ પરમાણંદદાસ પરિવાર દ્વારા પોતાની જમીનનું દાન આપી સાથે બે માળનું બાંધકામ કરી સંઘને અર્પણ કરશે. સાણોદરવાળા દિનકરભાઈ જયંતીલાલ શાહ પરિવાર દ્વારા સ્વ. કૈલાસબેન ડી. શાહના પુણ્ય સ્મરણાંર્થે નિવાસ માટે રૂમો તેમજ બેઠક વ્યવસ્થા માટે ડોમનું નિર્માણ કરી અપાશે. જ્યારે હાલના દેરાસરના સ્થાને નવું બાંધકામ કરી જીણોદ્ધાર કરવા સંઘે નક્કી કર્યું છે. જે માટેનું મુહુર્ત અને માર્ગદર્શન આપવા શાસન સમ્રાટ નેમીસુરી સંપ્રદાયના પૂ. આ.ભ. ચંદ્રોદયસુરી શ્વરજી મ.સા.ના શિષ્ય રત્ન પૂ.આ.ભ. નિર્મળચંદ્રસુરી શ્વરજી મ.સા, પૂ. આ.ભ. રાજચંદ્રસુરી શ્વરજી.મ.સા, પૂ.આ.ભ. જીનેશચંદ્રસુરી શ્વરજી મ.સા. સાથે આદિ ઠાણાની નિશ્રા ભંડારિયા થયેલ. સાથે ટાણા જૈન સંઘના ટ્રસ્ટી બીપીનચંદ્ર શાહનો ખાસ સહયોગ સાંપડેલ. આ પ્રસંગે નવકારશી તથા સંઘ સ્વામીવાત્સલ્ય માતૃશ્રી જયાબેન સૌભાગ્યચંદ્ર સંઘવી હ. નીલાબેન નિલેષભાઈ સંઘવી દ્વારા રાખવામાં આવેલ. ભંડારિયા શ્રી સંઘમાં દેરાસરના જીણોદ્ધાર અને સુવિધાઓના નિર્માણને લઈને ભારે ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

Previous articleભાવનગર જિ. પં.નું રૂા. ૧૦૩૫ કરોડનું વાર્ષિક બજેટ સર્વાનુમત્તે મંજુર
Next articleવિશ્વ ક્ષય દિન નિમિત્તે કાળાતળાવ ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો