આવકવેરા રિટર્નમાં ખોટી જાણકારી આપનારાને ૨૦૦ ટકાનો દંડ ફટકારાશે

446

આવકવેરા વિભાગ આ વર્ષે પહેલાંના વર્ષોની સરખામણીએ વધુ બારીકાઈથી રિટર્નની સ્ક્રૂટીની કરશે. ઘરભાડાની રસીદ અને અન્ય કરછૂટ વિકલ્પો હેઠળ ખોટી જાણકારીઆપવા પર નોટિસ ફટકારવામાં આવશે. રિટર્નમાં નકલી જાણકારી આપનારા લોકોને ૨૦૦ ટકા સુધીનો દંડ ફટકારવાની આકરી જોગવાઈ કરવામાં આવી છે.

હાલ આવકવેરા ચોરીના મામલામાં દંડ તરીકે રકમના ૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા સુધીની જોગવાઈ છે. આવામાં જાણી જોઈને કરવામાં આવેલી ચોરીના મામલામાં વિભાગ વધુમાં વધુ દંડ વસૂલવાની તૈયારીમાં છે.

આવકવેરા વિભાગ આ વખત ટેકનીકનો ઉપયોગ કરીને લોકોની આવક અને ખર્ચ જેવી વિગતોની મેળવણી બારીકાઈથી કરશે. ફોર્મ-૧૬નું આવકવેરા રિટર્ન ઈલેક્ટ્રોનિક રીતે મેળવવામાં આવશે. બેન્ક લેવડ-દેવડ અને અન્ય સ્ત્રોતોથી કરવામાં આવેલા ખર્ચની પણ ટેકનીકલી ખરાઈ કરાશે. તેનાથી ઘરનું ભાડું, ટયુશન ફી, ટેક્સી અને મેડિકલ જેવા બિલની તપાસ પણ સરળતાથી થશે.

ધંધાર્થીઓને કારોબાર સાથે સંબંધિત ખર્ચ અને ઓફિસ સ્ટેશનરી પર ટેક્સછૂટ આપવામાં આવે છે. વિભાગને આશંકા છે કે આ ટેક્સ છૂટ હાંસલ કરવા માટે અમુક લોકો ગેરરીતિ આચરે છે અને ખોટા બિલ રજૂ કરે છે. આ માટે સ્ક્રૂટિનીમાં વધુ સતર્કતા રાખવામાં આવશે. આ વર્ષે શંકાસ્પદ આવકવેરા રિટર્નની તપાસ બીગ ડેટા એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા પણ કરવામાં આવશે.

 

Previous articleકોહલીએ વિનંતી કરતાં ધોનીએ પોતાના રિટાયરમેન્ટને હાલ પૂરતું ટાળી દીધુ
Next articleઅમરનાથ યાત્રા : ૨૪ દિનમાં કુલ ૨૪ શ્રદ્ધાળુના થયેલા મોત