કાચરડી ગામે વાડીમાં ઝાડ સાથે લટકાઇ યુવાને ગળાફાંસો ખાધા

789

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે રહેતા સુધીરભાઈ ડાયાભાઈ મકવાણા દ્વારા ગઈકાલ રાત ના ૭ઃ૦૦ આજુબાજુ ઘરેથી  નીકળી ગયેલ ત્યારે  આજ સવારના ૭ઃ૩૦ વાગે કાચંરડી  ગામના સરપંચ પોપટભાઈ ની વાડી ખાતે ઝાડ સાથે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

દામનગર પોલીસ દ્વારા ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી .ડેડબોડી પીએમ માટે દામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી દામનગર પોલીસ પાસે થી મળતી માહીતી મુજબ સુધીર નામ ના યુવાન ને ધંધા ની બેરોજગારી સાથે લગ્ન ન થતાં હોય તો  માનસિક અસર થય ગયેલ હોવાથી ગઈ રાત્રીના સમયે વાડી વિસ્તારમાં જયને ગળાફાંસો ખાઇ આપધાત કરવામાં આવ્યો હતો યુવાન આપઘાતના પગલે નાના એવાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો ધટના સ્થળે લોકોનાં ટોળેટોળા જોવાં મળ્યાં હતાં. હાલ દામનગર પોલીસ સ્ટેશન ના હે.કોસ્ટ પી.આર દેસાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

Previous articleમેયર, કમિશ્નર દ્વારા શિશુવિહારનું સન્માન
Next articleદામનગરમાં રસ્તા પર પાણી ભરાયા