બાપા સીતારામ પદયાત્રા સંઘ દ્વારા સતત ૨૮ વર્ષથી વિશ્વ બચાવો પર્યાવરણ બચાવોનાં ઉદ્દેશ સાથે ભાવનગરથી બગદાણા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજે શિવકુંજ આશ્રમ અધેવાડાથી સીતારામબાપુ તથા કરૂણાશંકરદાદાની ઉપસ્થિતિમાં પદયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ સહિત જોડાયા હતા. પદયાત્રામાં ૧૦૦ ઉપરાંત ભાવિકો જોડાયા છે જેને સંતોએ શુભેચ્છા પાઠવી હતી.