લોકલ ક્રાઈમ બ્રાચનો સ્ટાફ ઓછો કરાયો

535

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર દ્વારા આજે મોડી સાંજે જિલ્લાના વિવિધ પો.સ્ટે.ના મળી કુલ ૩૬ પો.કો., હે.કો.ની અરસ -પરસ બદલીઓ કરાઈ હતી જેમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચમાંથી સ્ટાફ ઓછો કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ રાઠૌર દ્વારા આજે મોડી સાંજે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એએસઆઈની ફેરબદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ લોકલ ક્રાઈમ બ્રાંચના ૧૪ કોન્સ્ટેબલોની બદલી કરી અન્ય પો.સ્ટે.માં મુકાયા હતાં. જો કે એલસીબીમાં નવા કોઈને સમાવવામાં આવ્યા નથી.

ભાવનગર પોલીસ બેડામાં થયેલી બદલીમાં સોનગઢના પો.કો. અર્જુનસિંહ ગોહિલને સિહોર, ઘોઘા રોડ પો.સ્ટે.ના રહીમભાઈને પોર્ટ મરીનમાં, નિલમબાગ પો.સ્ટે.ના હિતેષભાઈને એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનિટમાં, પાલિતાણા ટાઉનના જયેશભાઈને પોર્ટ મરીન, બોરતળાવ પો.સ્ટે.ના હેલતબેનને હેડ કર્વાટર, ઉમરાળાના ઈન્દ્રવિજયસિંહને વલભીપુર, મહુવાના મયુરભાઈને અલંગ મરીન, ગારિયાધારના રીંકલબેનને પાલિતાણા ટાઉન, પાલી.ટાઉન રાજુભાઈને બગદાણા, ઘોઘા રોડના કિશોરસિંહને પોર્ટ મરીન, ઘોઘા રોડના ઉષાબાને હેડકર્વાટર, ઘોઘા રોડના પાર્થભાઈને એસઓજીનો વધારાનો ચાર્જ, ભરતનગરના ધનજીભાઈને પોર્ટ મરીન, પાલિ. ટાઉનના હિતેન્દ્રસિંહને હેડકર્વાટર, બોરતળાવ પો.સ્ટે.ના જયરાજસિંહને અલંગ મરીન, સિહોરના નરેન્દ્રસિંહને બોરતળાવ એલઆઈબી – એએસઆઈ, હેડકર્વ્ટરના વિજયસિંહને વલ્લભીપુરમાં, હેડકર્વાટરના બહાદુરભાઈને ભાવ. ટ્રાફિક શાખા, હેડકર્વાટરના લાલજીભાઈને અલંગ મરીન, હેડકર્વાટરના મહેન્દ્રસિંહને અલંગ મરીન, હેડકર્વાટરના કિશોરકુમારને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટમાં, હેડકર્વાટરના અલ્ફાઝને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટમાં મુકાયા છે.

આ ઉપરાંત એલસીબીના ૧૪ પો.કો.માં મનદિપસિંહને ગંગાજળીયા પો.સ્ટે., દિલીપભાઈને ઉમરાળા, કેવલભાઈને ઘોઘારોડ, અશ્વિનભાઈને ઘોઘા રોડ, જયરાજસિંહને ગંગાજળીયા પો.સ્ટે., તેમજ શક્તસિંહને ઘોઘા રોડ પો.સ્ટે. અને નેત્રમાં, જયદિપસિંહને બોરતળાવ, શક્તસિંહ જયવંતસિંહને ગારિયાધાર, ભરતભાઈને હેડકર્વાટર અને નેત્ર, લાખાભાઈને હેડકર્વાટર, પ્રજ્ઞેશભાઈને હેડર્કવાટર તેમજ રઘુભાઈ ગણેશભાઈને હર્ડકર્વાટરમાં મુકવામાં આવ્યા છે.

Previous articleસત્ય વચન, નિર્મળ મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ અને કરૂણા : મોરારિબાપુ
Next articleએરપોર્ટ પર CRPF દ્વારા ચેકીંગ