જાફરાબાદ ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પુજન

542

રક્ષાબંધનમાં પવિત્ર દિવસે ખારવા સમાજના ઈષ્ટ દેવ દરિયાદેવનું પુજન કરવામાં આવે છે. જેમાં સમસ્ત ખારવા સમાજ જાફરાબાદ દ્વારા કામનાથ મહાદેવના મંદિરેથી મોટી સંખ્યામાં માચ્છિમારો દ્વારા દુધની  ડોલ, ફુલનો હાર, દરિયા દેવની લીલી વાવટી સણગારેલી હેલો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડિ.જે.ના તાલે માચ્છિમારીના બંદરે દરિયા રૂપી માનવ મેદની દરિયા પુજન કરે છે. જેમાં દરિયા દેવને ચોમાસા બાદ શાંત થવા તેમજ નવા દરિયાઈ રોજ ચાલુ થતા પુત્ર, પતિ કે પિતા-ભાઈ દરિયો ખેડવા જાય છે. તેમની દરિયા દેવ રક્ષા કરે અને ધંધામાં બરકત આપે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.અ ા પુજનમાં મોટી સંખ્યામાં વડિલો, સ્ત્રીઓ બાળકો અને પુરતા ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ કાફલો પણ હાજર રહેલ. જે આયોજન ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણિયા, નરેશભાઈ બારૈયા તેમજ બોટ એસોસિએશનના પ્રમુ માલાભાઈ વંશ, રાજેશભાઈ બારૈયા કરવામાં આવેલ.

Previous articleરાળગોન ગામની શાળામાં રક્ષાબંધનની ઉજવણી
Next articleસિહોરની વિદ્યામંજરી સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ