તક્ષશિલા ખાતે ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન દ્વારા સેમિનાર

458

તક્ષશિલા એજયુકેશનલ ઈન્સ્ટિટયુટ કાળિયાબીડ, ભાવનગર ખાતે તાજેતરમાં ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન, ભાવનગર દ્વારા સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થા ખાતે બી.કોમ. અને બી.એસ.સી. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. ઉપરોકત સેમિનારમાં ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન, ભાવનગરના સેક્રેટરી ડો. વિમલ પી. જગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગો સ્થાપના, વિવિધ ઔદ્યોગિક એકમો, તેના વિકાસ માટેના જરૂરી પરિબળો પેઢીની સ્થાપના અને કાર્યપધ્ધતિ વિષે વિસ્તૃત  માહિતી અપાઈ હતી.

Previous articleવીજપોલને અડી જતા ભેંસનું મોત
Next articleઉ.બુ. વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે વિચરતી જાતિ મુક્તિ દિન ઉજવાયો