રાજુલા ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા દ્વારા હરિદ્વારમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો

485

રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા દ્વારા હરીદ્વાર ખાતે અલૌકિક શ્રીમદ્દ ભાગવત સપ્તાહની અદ્‌ભુત હરિદ્વારાના રાજમાર્ગ્‌ પરથી દેશ પરદેશથી હજારો ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાન,ો કલાકારો, રાજુલાના દરેક જ્ઞાતિ આગેવાનો મુમુક્ષો દ્વારા ભાગીરથી ગંગામૈયાનું પુજન કર્યા પછી ભવ્યાતિભવ્યત પ્રારંભ કરાયો.

રાજુલા ઉદ્યોગપતિ અને દાનેશ્વરી એવા ભરતભાઈ મેરામભાઈ મુખ્ય યજમાનપદે આયોજિત હરિદ્વારા ખાતે પૂજય ભાઈજી રમેશભાઈ ઓઝાના પરમ શિષ્ય પ્રખર ભાગવાતાચાર્ય યજ્ઞેશભાઈ ઓઝા હરિદ્વારા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહના સ્વમુખે રાજુલા સુરત મુંબઈ અને વિદેશમાંથી હજાર શ્રધ્ધાળુઓ સાથે હરિદ્વારાના રાજમાર્ગ્‌ પર અદ્‌ભતૂ પોથી યાત્રા દબદબાભેર ગંગામૈયાના પાવન જળથી અભિષેક કરી કથા સ્વામી નારાયણ મંદિર ખાતે પૂજય હરીવલ્લદાસ સ્વામીના આર્શીવાદ લઈ કથા પ્રારંભમાં માનવ મહેરામણ ઉભરાયો તેમજ આ અલૌકિક શ્રીમદ્દ ભાગવતના સહયોગી નારોલા જેમ્સ, એસઆર. કે.ગ્રુપ, ઉદ્યોગપતિ મોહનભાઈ ગાંધી હમાળ તથા ઘનશ્યામભાઈ વેકરીયા, ધારેશ્વર ગ્રુપ સહિત સેવાભાવી સંસ્થાઓ સહિત હરિદ્વારામાં રાજુલાથી સુરતના મહાનુભાવો ગ્રુપ સાથે આ અલૌકીક શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો લાભ લક્ષ ચેનલ તેમજ પ્રીન્ટ મીડીયાના માધ્યમથી દેશ વિદેશમાં લાભ લઈ રહ્યા છે જે રાજુલા ભરતભાઈ સાથે મિત્રોએ ગૌરવ વધાર્યુ છે.

Previous articleદામનગર ખાતે સુપોષણ માસની ઉજવણી કરાઈ
Next articleજાફરાબાદમાં વરસાદ થતાં માછીમારોને ૧૦ કરોડનું નુક્શાન