જીતુભાઈ વઘાણીના જન્મદિવસ નિમિત્તે તક્ષશિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ

411

તજ્ઞશિલા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષથી ભાવનગરશહેર તેમજ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્ર સાથે સાથે સામાજિક, આરોગ્ય તેમજ પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો કરતું રહેલું છે. જે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે તેમના વ્યક્તિત્વ વિકાસ આરોગ્ય તેમજ પર્યાવરણ પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજાવે છે.

લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેની કાળજી  લેતા થાય તેવા હેતુ સહ આ વર્ષે તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ તા. ૧૧ સપ્ટેમ્બર, ર૦૧૯ના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિતતે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જીતુભાઈના હસ્તે તેમની ઉંમર જેટલા જ વૃક્ષો વાવી તેનં જતન કરવાનો સંકલ્પ વિદ્યાર્થીઓ પાસે કરવવામાં આવશે.

આ સાથે તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પ૦૦થી વધુ વૃક્ષો વાવી ભાવનગર શહેરને હરિયાળુ બનાવવા માટે ગ્રીન ભાવનગર ઝુબેશમાં પોતાનો ફાળો નોંધાવવામાં આવશે.

Previous articleરાણપુરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને વિદાય આપાઈ
Next articleરાણપુર-લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે જોગી સ્વામીની જન્મ જયંતી મહોત્સવ ઉજવાયો