બોટાદ જીલ્લાના રાણપુર પાસે રાણપુર-લિંબડી રોડ ઉપર કરમડના પાટીયા પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે જલજીલણી એકાદશીની ઉજવણી તથા જોગી સ્વામીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન સ્વામિનારાયણ ના સમયથી જલજીલણી એકાદશી ઉત્સવની ઉજવણી નું અનેરૂ મહત્વ છે.ત્યારે.રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ(કરમડ)ખાતે જલજીલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સાથે ગુરૂવર્ય જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજી સ્વામીની ૧૨૭ મી જન્મ જયંતી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.આ મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમમો યોજાયા હતા જેમાં સંતો ના પ્રવચન,જોગી સ્વામી જીવન દર્શન કથા,જન્મોત્સવની ઉજવણી સાથે અંતમાં પરમ પુજ્થ શ્રીજીસ્વરૂપ સ્વામીના આશિર્વાદ પણ ભક્તોએ લીધા હતા.આ પ્રસંગે પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી,પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી,પૂજ્ય ગોપાલચરણ સ્વામી સહીત અનેક સંતો મહંતો,મહાનુભાવો તથા મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.