વડાપ્રધાન મોદીના જન્મદિને  સમર્થક દ્વારા વિવિધ કાર્યક્રમ

416

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે તમામ તેમના સમર્થકો અને વિરોધીઓ દ્વારા પણ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પણ મોદીને સવારમાં જ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સવારથી જ તેમના સમર્થકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એક સામાન્ય પરિવારથી વડાપ્રધાન બનવા સુધીની તેમની યાત્રા ખુ જ પ્રેરણા સમાન રહી છે. તેમના વિરોધીઓ પણ તેમની શિસ્તની હમેંશા પ્રશંસા કરતા રહે છે.  વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં શાનદાર અને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકેના તેમના ગાળા દરમિયાન તેઓ દરેક મોરચે કેટલીક ઐતિહાસિક પહેલ કરી ચુક્યા છે. બીજી બાજુ કેટલાક લોકલક્ષી નિર્ણય લઇ ચુક્યા છે. તેમની ભારતમાં લોકપ્રિયતા આજની તારીખમાં પણ ખુબ વધારે છે. તેમના કામને લઇને વિરોધીઓ પણ વાંધો ઉઠાવે તેવી સ્થિતીમાં નથી.મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા બાદથી જ મોદીએ દિન રાત એક કરીને ભાજપની લોકપ્રિયતાને ચરમસીમા ઉપર લઇ જવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મળી ગઇ હતી. મોદીએ ભાજપને દેશમાં ફરી સત્તામાં લાવતા પહેલા ગુજરાતમાં ત્રણ વખત સતત જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. દેશના વડાપ્રધાન બનતા પહેલા જુદી જુદી જવાબદારી તેઓ ભાજપમાં સંભાળી ચુક્યા છે. ૧૯૯૫, ૧૯૯૮માં ચૂંટણીમાં પક્ષને જીત અપાવવામાં તેમની ભૂમિકા રહી હતી. મુખ્યમંત્રી તરીકે પણ મોદી ગુજરાતમાં હેટ્રિક નોંધાવી ચુક્યા છે. જુલાઈ ૨૦૦૭માં ગુજરાતના ઇતિહાસમાં તેઓ સૌથી વધારે સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી બની ગયા હતા. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સભ્ય તરીકે રહ્યા છે. મિડિયા, સ્કોલર્સ અને અન્યો મોદીને એક હિન્દુ નેતા તરીકે ગણે છે. મોદીએ પોતાની શક્તિશાળી છાપ ઉભી કરી છે જેના પરિણામ સ્વરુપે યુવા પેઢી પણ તેમની તરફ આકર્ષિત થઇ છે. તેમના વહીવટીતંત્રની ૨૦૦૨ની ગુજરાત હિંસા દરમિયાન ટિકા પણ થઇ હતી. આર્થિક નીતિઓના મામલે તેમની હંમેશા પ્રશંસા રહી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના તેઓ છ બાળકો પૈકીના ત્રીજા બાળક છે. તેઓએ  વડનગર રેલવે સ્ટેશન ખાતે તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. તે વખતે તેઓ બાળક હતા. નાનપણમાં જ તેઓ બસ સ્ટેન્ડ નજીક તેમના ભાઈની સાથે ચાના સ્ટોલ પણ ચલાવી ચુક્યા છે. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા. તેમને ફિલ્મોમાં ખુબ રસ હતો. મોદીના માતાપિતાએ તેમના બાળપણમાં લગ્ન નક્કી કરી દીધા હતા. ઘાંચી જાતિની પરંપરા મુજબ તેમના લગ્ન થયા હતા. તેમના જશોદાબહેન સાથે લગ્ન થયા હતા. મોદી ૧૮ વર્ષના થયા ત્યારે તેમના લગ્ન થઇ ગયા હતા. મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાઈ ગયા હતા. નરેન્દ્ર મોદીની લાઇફ પ્રેરણાથી ભરેલી છે. પોતાના કામ પોતાની રીતે કરવામાં તે વધારે વિશ્વાસ રાખે છે. મોદી હાલમાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતા પૈકી એક તરીકે છે.

ચા વાળાથી પીએમ સુધી યાત્રા

ચ            નરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી સમુદાયમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦માં જન્મ થયો

ચ            મહેસાણાના વડનગરમાં મોદીનો જન્મ થયો હતો

ચ            દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના છ બાળકો પૈકીના મોદી ત્રીજા નંબરના પુત્ર હતા

ચ            વડનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ચા પણ વેચી ચુક્યા છે

ચ            વડનગર રેલવે સ્ટેશન પર મોદી બાળપણમાં તેમના પતિને ચા વેચવામાં મદદ કરતા હતા

ચ            મોદીના માતાપિતાએ બાળપણમાં તેમના લગ્ન ગોઠવી કાઢ્યા હતા

ચ            પરંપરાગત ઘાંચી જાતિ મુજબ લગ્ન ગોઠવી દેવાયા બાદ તેમના જશોદાબહેન સાથે લગ્ન કરાયા હતા

ચ            મોદી તેમના પત્નિ સાથે ખુબ ઓછા સમય સુધી રહ્યા અને તેઓએ અલગ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો

ચ            લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વેળા મોદીએ પત્નિ તરીકે જશોદાબહેનના નામનો ઉલ્લેખ કર્યો હતો

ચ            ૧૯૭૦માં સંઘના પ્રચારક બની ગયા હતા

ચ            આઠ વર્ષની વયથી આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે

ચ            ભાજપના ગુજરાત રાજ્ય એકમની સ્થાપના કરનાર જનસંઘના નેતાઓના તેઓ સંપર્કમાં આવ્યા હતા

ચ            મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી

ચ            ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ વિધિવતરીતે આરએસએસમાં જોડાયા હતા.

ચ            જયપ્રકાશ નારાયણ હેઠળ ઇમરજન્સી સામે ઝુંબેશમાં જોડાયા હતા

ચ            ૧૯૮૫માં મોદીને સંઘે ભાજપમાં જવાબદારી સોંપી હતી

ચ            મુરલી મનોહર જોશીની કન્યાકુમારી-શ્રીનગર એકતા યાત્રાના આયોજન બાદ મોદી લોકપ્રિય થયા

ચ            ૧૯૮૮માં મોદી ભાજપના ગુજરાત એકમના ઓર્ગેનાઇઝ્‌ડ સેક્રેટરી ચુંટાયા અને આની સાથે જ મુખ્ય પ્રવાહની રાજનીતિમાં એન્ટ્રી થઇ હતી

ચ            ૧૯૯૫ની ચૂંટણી જીતમાં તેમની ગુજરાતમાં ભૂમિકા હતી

ચ            મે ૧૯૯૮માં ભાજપના જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ હતી

ચ            ગુજરાતમાં ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણી માટે પસંદગી સમિતિમાં તેમની ભૂમિકા રહી હતી

ચ            ૨૦૦૧માં કેશુભાઈ પટેલની તબિયત ખરાબ થયા બાદ ભાજપે પેટાચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો હતો

ચ            ૨૦૦૧માં ભૂકંપના કારણે ગુજરાતને નુકસાન થયું હતું જેથી ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઇ હતી

ચ            આવી સ્થિતિમાં મોદીની કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ હતી

ચ            ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા

ચ            ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરામાં અગ્નિકાંડના બનાવ બાદ મોદીની પ્રતિષ્ઠાને કોમી રમખાણના કારણે અસર થઇ હતી

ચ            કોમી રમખાણમાં મોદીના શાસનમાં હજારો લોકોના મોત થયા હતા

ચ            મોદી સામે માનવ અધિકાર સંગઠનો, વિરોધ પક્ષો દ્વારા હજુ પણ રમખાણ અંગે પ્રશ્નો ઉભા થાય છે

ચ            કોમી રમખાણના કારણે ઘણા કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવ્યા હતા

ચ            મોદી સામે ઘણા કેસો પણ કરાયા હતા

ચ            ૨૦૧૨માં મોદીના કેટલાક પ્રધાનોને નરોડા પાટિયા હત્યાકાંડમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતા

ચ            જુલાઈ ૨૦૦૭માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સેવા કરવાનો રેકોર્ડ સર્જી કાઢ્યો હતો

ચ            ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ પૈકી ૧૨૨ બેઠક જીતી હતી

ચ            ૨૦૧૨માં ભાજપે મોદીના નેતૃત્વમાં ફરી જીત મેળવી હતી

ચ            મોદીએ મુખ્યમંત્રી તરીકે હેટ્રિક નોંધાવી હતી

ચ            નિમણૂંકોના મામલે રાજ્યપાલ સાથે તેમના સંબંધોને લઇને ચર્ચા થઇ હતી

ચ            ૨૦૧૨ની ચૂંટણીમાં મોદીએ મણિનગરમાંથી ૮૬૭૭૩ મતે જીત મેળવી હતી. ભાજપે આ ચૂંટણીમાં ૧૮૨ પૈકી ૧૧૫ બેઠકો જીતી હતી

ચ            માર્ચ ૨૦૧૩માં મોદીની ભાજપ સંસદીય બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી હતી

ચ            ૧૦મી જૂન ૨૦૧૨ના દિવસે મોદી ભાજપને રાષ્ટ્રીય સ્તરની કારોબારી બેઠકમાં ૨૦૧૪ની ચૂંટણી માટે નેતૃત્વ કરવા તૈયાર થયા

ચ            સપ્ટેમ્બર ૨૦૧૩માં મોદીને લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતા

ચ            મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં જીતી ગયા હતા

ચ            મે ૨૦૧૪માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી.

ચ            ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં ભાજપે સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે જીતી નવો રેકોર્ડ સર્જયો છે. આની સાથે જ મોદી સતત બીજી અવધિ માટે વડાપ્રધાન બન્યા હતા

Previous articleપંત પોતાના શોટ્‌સને કારણે ખાસ, રોહિત શર્મા દરેક ફોર્મેટમાં દમદાર : બેટિંગ કોચ
Next articleપેટ્રોલના ભાવમાં ૧૪ પૈસા અને ડિઝલમાં ૧૫ પૈસાનો વધારો