ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે વડોદરા ગ્રામ્ય જીલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશ્વિન આણંદભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહેવાસી પ્લોટ નં.૫૬બી, શક્તિ નિવાસ, નારેશ્વર સોસાયટી, ધોધા રોડ, ભાવનગર વાળાને તેના ઘર પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.