ઘોઘા કસ્બા મુસ્લિમ ખલાસી જમાતની ભાવનગર મુકામે કમિટિ દ્વારા સ્નેહમિલન, શિક્ષણ માર્ગદર્શન શિબિર યોજાયો

538

ઘોઘા કસ્બા મુસ્લિમ ખલાસી જમાતની ભાવનગર મુકામે કમિટિ દ્વારા સ્નેહમિલન, શિક્ષણ માર્ગદર્શન શિબિર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખો, માજી પ્રમુખો, મંત્રી તથા દરેક જમાતોના પ્રમુખઓ તથા આમંત્રીત મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ. તોફીકભાઈ શેખ દ્વારા સંસ્થા માટે વીઝન-ર૦ર૦ની સમજણ આપવામાં આી. ઈરફાનાબેન શેખ તથા રઈશભાઈ કાઝી દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર અને જરૂરીયાત અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ. સંસ્થાના માજીપ્રમુખ અ. રહીમભાઈ યુસુફભાઈ દ્વારા સંસ્થાનો ઈતિહાસ રજુ કરી કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ. કાર્યક્રમની આભારવિધ શિક્ષણ સમિતિના ચેરમેન મહેબુબભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન શબ્બીરભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની સફળતા માટે હાજી અ. સતારભાઈ રેડીયેટરવાળા તથા કમિટિના સભ્યોએ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleસોનગઢ ગુરુકુલની ટીમ હોકીમાં ચેમ્પિયન
Next articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે સ્વામી વિવેકાનંદ નાં જીવન-ચરિત્ર વિશે સેમીનાર યોજાયો. ”