જીતુભાઈ વાઘાણીની હાજરીમાં બોરતળાવ નવા નીર વધામણા કાર્યક્રમ યોજાયો

551

ભાવનગર શહેર ને પીવાનું પાણી પૂરું પડતું બોરતળાવ ૫ વર્ષ પછી ફરી એક વખત ઓવરફ્લો ની સપાટીએ પહોંચતા આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની હાજરી માં આ નવા નીર ના વધામણાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમ માં આવેલા જીતુ વાઘની એ જાણવેલ કે આગામી દિવસોમાં ભાવનગર માં સપ્તાહે જે એક દિવસઃ નો પાણી કાપ છે તે વહેલી તકે ઉઠાવી લેશું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજયકક્ષાનાના મંત્રી વિભાવરી દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર  મનહર મોરી, ભાજપ શહેર  પ્રમુખ સનતભાઈ મોદી, ડેપ્યુટી મેયર અશોક બારૈયા  સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ કાર્યકરમા નવા આવેલા નીરનું મહાનુભાવો એ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે નગરજનો પણ મોટી સઁખ્યામા હાજર રહ્યાં હતા બોરતળાવ આજે સાંજે ૪૨.૮ ઇંચ ની સપાટીએ પહોંચીયું હતું આ તળાવ ૪૩ ફૂટ ઓવરફ્લો થાય છે હજુ પણ બોરતળાવ ના સ્ત્રાવ વિસ્તાર માંથી પાણી નો પરવાહ આવવાનો સારું હોઈ કલ સુધીમાં બોરતળાવ ઓવરફ્લો થશે તેમ મનાઇ રહ્યં છે

Previous articleમહાનગરપાલિકા દ્વારા ભરતનગરથી રીંગરોડ સુધી મેગા ડિમોલેશન કરાયું
Next articleદેશ ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે