બાબરા તાલુકાના નીલવડા ગામે નદી ઉપરના ક્રોઝવેના કારણે હાલાકી ગ્રામજનોમાં આક્રોશ

423

બાબરા તાલુકા ના નીલવડા ગામે અને ત્યાંથી આગળ ના પાંચ ગામો માં આવવા જવા માટે ભારે યાતના સહિત રોજ મોત સામે ભાથ ભીડી પાણી માં પ્રવાહ માંથી પસાર થતા રાહદારી દ્વારા આજે ઓવરબ્રીજ બનાવવા ની માંગ સાથે રાજ્ય ક્ક્‌ષા સુધી રજુવાત મોકલી રોજ બરોજ  ની યાતના માંથી છુટકારો અપાવવા જણાવ્યું છે

મળતી વિગત મુજબ બાબરા થી નીલવડા ગામ જતા નીલવડા ના પાદર માંથી પસાર થતી નદી માં છેલ્લા એક માંથી પુર પ્રકોપ ના કારણે સતત જળ પ્રવાહ તેજ ગતી થી પસાર થાય છે અને તંત્ર દ્વારા નાના કદ ના ક્રોઝ્‌વે ની યોગ્ય સાર સંભાળ નહી હોવાથી પુલ ઉપર ત્રણ થી ચાર ફૂટ ઉંડા ખાડા પડ્યા હોવાથી અનેક લોકો આ પાણી પસાર થતા પુલ ઉપર પોતાના વાહનો સાથે પસાર થતા હોવાથી અકસ્માત નો સતત ભય રહેછે અને આજુબાજુ ના પાચ ગામો સહિત વરસાદ માં જસદણ ચોટીલા તરફ જવાનો ગ્રામ્ય રસ્તો સદંતર બંધ જેવી સ્થિતિ અને વધુ વરસાદ માં પાણી ઉતરવા સુધી કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની રજુવાત કરવા માં આવી છે

શિમ વિસ્તાર માંથી અભ્યાસ માટે તેમજ પાંચાળ પંથક સાથે જોડતા રસ્તા ની અવદશા માટે કુંભકર્ણ નિંદ્રા માં પોઢેલ તંત્ર જાગતું નહી હોવાનો બળાપો કાઢવા માં આવ્યો છે

ગઈ મોડી રાતે પડેલા વરસાદ બાદ નદી ની જળ સ્ત્રાવ માં વધારો થતા વેલી સવારે ચરીયાણ માં જતી ગૌવંશ ૫ અને નાના પશુ આ નદી ના પાણી માં તણાઈ જતા ગ્રામ જનો એ બચાવી લીધા હતા આજે સાંજે વરસેલા વરસાદ થી ૨૦૦ જેટલા બાઈક ચાલકો અને મોટા વાહન ચાલકો વાહન રોકી કલાકો સુધી પાણી ઉતરવા ની રાહ જોઈ બેઠા હતા

ગ્રામ્ય શાળા માં શિક્ષક તરીકે ફરઝ બજાવતા કર્મી સહિત રોડ ના છેડે બાઈક છોડી અને પગપાળા શાળા સુધી પહોચી રહ્યા છે

પુર ના સમયે ઈમરજન્સી દવાખાના અથવા પ્રસુતી ની પીડા માં કણસતી મહિલાઓ ને પલંગ સમેત ઉચકાવી નદી પાર કરાવવા ના દર્શ્યો સામાન્ય બન્યા છે

આ વિસ્તાર માં ચુંટાયેલ ધારાસભ્ય સુધી ના જનપ્રતિનિધિ જનતા માંગ સામે દુર્લક્ષતા દાખવતા હોવાની બુમ ઉઠી છે સાથો સાથ ગ્રામ્ય વિસ્તાર માં ચુંટણી લક્ષી કિન્નાખોરી રાખવા માં આવતી હોવાથી છેલ્લા કેટલાક સમય થી લોક માંગ સામે ધ્યાન આપવા માં નહી આવતું હોવાનું જનતા જણાવી રહી છે

ગ્રામ્ય માંગ મુજબ આ પાણી ના વહેણ ઉપર ઓવરબ્રિજ બનાવવા ની તાતી જરૂરીયાત માટે કામગરી કરવા માં આવે તે ઇચ્છનીય છે અન્યથા જાન માલ મિલકત સહિત નું નુકશાન થવા સંભવ હોવાનું કહી શકાય છે

Previous articleમાઢીયા રોડ પાસેથી ૧૧ જુગારીઓને ઝડપી લેતી બોરતળાવ પોલીસ
Next articleદક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો