કુમારશાળા ખાતે રંગોળી સર્જન કાર્યક્રમ સંપન્ન

424

કુમારશાળા માધ્યમિક વિભાગ નિલમબાગ, ભાવનગર ખાતે નવરાત્રી મહોત્સવના સંદર્ભે રંગોળીસર્જન કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ. શ્રેણી ૯ અને ૧૦ દસના દિકરીઓએ ભાગ લીધો. દિકરાઓએ પોતાની કલા સુઝના આધારે કલાત્મક રંગોળીઓનું સર્જન કરેલ. તમામ કૃતિઓ સુંદર હતી. પરંતુ નિર્ણાયકોએ અતિ સુંદર કૃતિઓને અલગ તારવતા ચૌહાણ મહમદ તોફીક, ત્રિવેદી મીત, સરવૈયા પૃષ્પરાજસિંહ અને ડેરેૈયા અકીલે પોતાની કલાના કરતબ બતાવી સૌનું ધ્યાન આકર્ષિત કરેલ. શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળના સૌએ કલાકારોને અભિનંનદ પાઠવ્યાં.

Previous articleકુમારશાળા ખાતે રાસ-ગરબા સંપન્ન
Next articleઆજે નવમું નોરતુ : કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા