વેરાવળ ખાતે ઈલેકશન વેરિફિકેશન પોગ્રામ યોજાયો

490

આજ રોજ તા.૬/૧૦/૨૦૧૯ રવિવાર ના રોજ હેલ્પ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (રાબીયા સેવા ઘર) અને સુન્ની મુસ્લીમ જમાત-વેરાવળ દ્વારા આજે ભારતીય ચૂટણી કમિશન ના ઇલેક્શન વેરિફિકેશન પ્રોગ્રામ મદરેશા એ ગૌશીયા અરબ ચોક અને મુસ્તફા મસ્જિદ પાસે રાખેલ હતું જેમાં ૧૨૦૦૦(બાર હજાર) થી વધુ લોકો વેરિફિકેશન થયેલ છે અને લોકો ને મદદ માટે ની એક પવિત્ર પહેલ કરવામાં આવેલ હતી સામાન્ય લોકોને આ પ્રોગ્રામ માટે ની ખાસ જાણકારી અને સમજ ન હોવાથી લોકો કઈ રીતે વેરિફિકેશન કરવું તેથી માહિતગાર ન હતા પણ આ સઁસ્થાઓ દ્વારા યુવાનો ની મદદ થી હિન્દુ – મુસ્લિમ સમાજ ના લોકો ને વેરિફિકેશન માટે મદદ કરી અને એકતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરો પાડેલ હતું આ બન્ને સઁસ્થા ઇન્સાનિયત ની ભલાઈ માટે ના અને લોક ઉપયોગી કેમ્પ અને પ્રોગ્રામ કરતી જ રહે છેઆ કેમ્પ માં સવારના ૧૦ થી રાત ના ૧૦ વાગ્યા સુધી નોન સ્ટોપ યુવાનો એ કામગીરી કરેલ હતી,આ કામ માટે સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ અને યુવાન સાથીઓ એ કાર્યકમ ને ખૂબ મહેનત સાથે કામયાબ કરેલ હતું ખાસ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બન્ને સનસ્થા ના પ્રમુખ હાજી અ. મજીદ દિવાન અને અફઝલ સર આ યુવાનો નો દિલ થી ખૂબ ખૂબ આભાર માને છે અને કાર્યકમ ને સફળ બનાવવા માટે હનીફભાઈ જીવા,અમીનભાઈ ખમ્મા,સબબીર ભાઈ,હાજીભાઈ પંજા એ ખૂબ જહેમત ઉઠાવેલ હતી.

Previous articleરાણપુરમાં ગિતાંજલી કેમ્પસ સંચાલિત કે.ડી.પરમાર વિદ્યાલય કિનારા ખાતે રાસ-ગરબાનું આયોજન
Next articleભાવનગર શિશુવિહારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન