દામનગર : મેથળીના પાટિયા પાસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો

1781

દામનગર ની હદ માં મોડી રાત્રે દામનગર થી ભુરખિયા જતા રોડ પર મેથળી ના પાટિયા પાસે ૨૬ વર્ષય મહિલા ની મૃત હાલત માં મળી આવી ભુરખિયા રોડ પર નાક માં થી લોહી નિકળતી હાલત માં મુખ્ય રોડ પર જીન્સ પેન્ટ અને ટીશર્ટ માં એક મહિલા પડી હોવા ની જાણ દામનગર પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલા મૃત્યુ પામી હોવા થી નાક માં થી લોહી નીકળતું હતું અને પોલીસે તુરત લાશ ને દામનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ અને આ મૃતક મહિલા ની ઓળખ મેળવવા પોલીસે કવાયત કરતા મૃતક મહિલા લાઠી તાલુકા ના તાજપર ની સોનલબેન વીરાભાઈ વાધેલા જાતે દે પૂ હોવા નું જાહેર કરતા મૃતક નો ભાઈ ભરતભાઇ વિરાભાઈ એ ઓળખી બતાવેલ મૃતક મહિલા તા૧૦/૧૦/૨૦૧૯ ના સવાર ના ૮-૦૦ કલાકે ઘેર થી નીકળી હતી સામે મોડી રાત્રી ૧૧-૩૦ કલાકે દામનગર થી લાઠી તરફ જતા સ્ટેટ ના મુખ્ય માર્ગ મેથળી પાટિયા પાસે માથા ના ભાગે મોટી ઇજા અને નાક માં થી લોહી નીકળતી મૃત હાલત માં મળી આવેલ આ અંગે દામનગર પોલીસ તપાસ ચલાવી રહી છે મૃતક મહિલા નું મૃત્યુ થવા નું કારણ હત્યા આત્મ હત્યા કે અકસ્માત ? તેની તપાસ માટે સ્થાનિક પોલીસે મોબાઈલ ફોન અને અન્ય એગલ અને એફ એસ એલ વિશેરા સ્ટેસ્ટ સહિત ની મદદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

Previous articleભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિક્રમ સારાભાઈ-ઈસરો પ્રદર્શન ખુલ્લુ મુકાયું
Next articleમનપા દ્વારા મોતીબાગ ટાઉન હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો